જોશીમઠમાં હજુ વધારે પરિસ્થિતિ ખરાબ થવાની વકી, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનનો ભય હજુ ટળ્યો નથી. આ પહાડી શહેરની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. હવે હવામાન વિભાગે જોશીમઠ માટે ભયજનક આગાહી જારી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 દિવસમાં જોશીમઠમાં વરસાદ પડી શકે છે. જેના કારણે ત્યાં ભૂસ્ખલનનું જોખમ વધશે અને તિરાડો પણ વધી શકે છે. વરસાદને કારણે ત્યાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જોશીમઠના રસ્તાઓ, મકાનો અને હોટલોમાં પડેલી તિરાડો વધુ પહોળી થઈ ગઈ છે. ભૂસ્ખલનનો સામનો કરી રહેલા જોશીમઠના લોકો માટે હવામાન વિભાગના આ સમાચાર હેરાન કરી દે એવા છે. હવામાન વિભાગે આગાહી જારી કરી છે કે આગામી ચાર દિવસ જોશીમઠ માટે ભારે પડી શકે છે. આગામી ચાર દિવસ સુધી જોશીમઠ અને ઉત્તરાખંડના અન્ય પહાડી વિસ્તારોમાં વરસાદની સંપૂર્ણ આગાહી છે.

બગડતા હવામાનને કારણે જોશીમઠના લોકો ભયભીત છે. ભૂસ્ખલનની ઘટના પછી, તિરાડોમાં ભેજ વધી શકે છે અને તેના કારણે તિરાડો વધુ વધી શકે છે. તિરાડોની ચિંતા વચ્ચે લોકોને એવો પણ ભય છે કે વિસ્તારોમાં પાણીના નવા સ્ત્રોત પણ ફૂટી શકે છે. ભૂસ્ખલન અને તિરાડોની ઘટનાઓ પછી પહાડી શહેરમાં તિરાડોમાં માટી ભરવામાં આવી રહી છે. પરંતુ જો વરસાદ પડે તો આ કામને પણ અસર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પહાડી વિસ્તારોમાં 21 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે 18 જાન્યુઆરીએ જોશીમઠમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવોનો વરસાદ પણ જોવા મળી શકે છે. 19 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 12 ડિગ્રી રહી શકે છે. 19 જાન્યુઆરીએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 20 જાન્યુઆરીએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જાન્યુઆરીએ જોશીમઠનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 14 ડિગ્રી રહી શકે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.