મે મહિનો આવી ગયો પણ ગરમી કેમ ન આવી? IMDએ તેની પાછળનું સમજાવ્યું કારણ

એપ્રિલનો મહિનો આજથી પૂરો થઈ રહ્યો છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં ઉનાળો લોકોને અકળાવી મૂકતો હતો. તડકો અને બફારાથી બચવા માટે લોકો જાત જાતના ઉપાય કરવા લગતા હતા, પરંતુ આ વર્ષે ગરમીથી અત્યાર સુધી રાહત છે. ઉનાળાએ પોતાનું પ્રચંડ રૂપ અત્યાર સુધી દેખાડ્યું નથી. દેશમાં મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધારે પડી રહી નથી. ગરમીથી રાહતને લઈને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ વિસ્તારથી જણાવ્યું છે.

IMDએ કહ્યું કે, હાલના સમયમાં ઘણી હવામાન સિસ્ટમ એટલે કે એન્ટી સાઈક્લોન, ટફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે હવામાનની ચાલ દરેક વખતથી અત્યાર સુધી જુદી દેખાઈ રહી છે. દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં થોડા દિવસ અગાઉ સુધી ઉનાળાની અસર જોવા મળી રહી હતી, પરંતુ વાવાઝોડા અને વરસાદે ફરી એક વખત હવામાનમાં ઠંડક લાવી દીધી. જેના કારણે મોટા ભાગના ક્ષેત્રોમાં સામાન્યથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.

હાલના વાતાવરણ પર એન્ટી સાઈક્લોન, ગર્ત અને સર્ક્યૂલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે દેશના મોટા ભાગના હિસ્સાઓમાં હવામાન સુંદર બનેલું છે. હવામાનની આ હાલત આગામી 3 દિવસ સુધી એવું જ રહેવાનું છે. IMD મુજબ આગામી 2-3 દિવસ સુધી ગરમીથી રાહત રહેશે. 2-3 દિવસ બાદ ઘણી જગ્યા પર વાવાઝોડું આવી શકે છે. હવામાન વિભાગે હાલમાં જ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વી રાજસ્થાન અને આસપાસના ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે.

સેન્ટ્રલ મધ્ય પ્રદેશમાં ચક્રવાતી સર્ક્યૂલેશન છવાયું છે. એવી જ સ્થિતિ દક્ષિણ તામિલનાડુમાં પણ બનેલી છે. સોમવારે IMDએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલથી પશ્ચિમી હિમાલિયન ક્ષેત્રમાં નવું વસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. આ જ કારણ છે કે દેશના મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું નોંધાઈ રહ્યું છે. IMDના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળશે. એવી સ્થિતિ મેના પહેલા અઠવાડિયા સુધી જોઈ શકાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.