ઔરંગાબાદનું નામ બદલવા પર ગુસ્સામાં AIMIM, હજારો સમર્થકો સાથે રોડ પર ઉતર્યા સાંસદ

ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર કરવા પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ ઇમ્તિયાજ જલીલે પોતાના હજારો સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. AIMIM સાંસદે કહ્યું કે, મઠવાડાના વિકાસ માટે કેબિનેટની બેઠક થયા બાદ તમે મોંઘવારી, કાસ, ડક, પાણી પર વાત કરી નથી, જ્યારે છત્રપતિ સંભાજી નગરનું નામ બદલવાને લઈને ઘણી અરજીઓ કોર્ટમાં દાખલ છે. તેનો અર્થ છે કે તમે અહી ગંદી રાજનીતિ કરવા આવ્યા છો. તમે અહીં શહેરનું નામ બદલી દીધું. તમે અમારી પાસે એ આશા રાખી હતી કે અમે નામ પરિવર્તનને ચૂપચાપ સ્વીકારી લઈશું, પરંતુ અમે શરૂઆતથી જ વિરોધ કર્યો છે અને અમે વિરોધ કરવાનું ચાલૂ રાખીશું.

AIMIMના સાંસદ ઇમ્તિયાજ જલીલે કહ્યું કે, આ વાત નાગરિકો દ્વારા રોજ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે મને બતાવો કે હું છત્રપતિ સંભાજી મહારાજની વિરુદ્ધ નથી, હું પુરુષોનું સન્માન કરું છું, પરંતુ ઔરંગાબાદનું નામ જ મારી ઓળખ છે. ઔરંગાબાદનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ છે, પરંતુ તમારી ગંદી રાજનીતિ છે, તમે આ મુદ્દાઓને વારંવાર લાવો છો. તમે એ બધુ કરી રહ્યા છો, આ મુદ્દા ઉઠાવી રહ્યા છો અને ભાવાત્મક મુદ્દાઓ પર માહોલ ગરમ બનાવી રહ્યા છો, જ્યારે તમારી ખુરશી જઈ રહી છે.

AIMIMના નેતા ઇમ્તિયાજ જલીલે હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં કહ્યું કે, નામ બદલવાને લઈને કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. ઘણી વખત કોર્ટે આગામી તારીખ વધારી છે કેમ કે આ કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દો નથી, પરંતુ તેમના માટે આ એટલો મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેઓ કાસાના નામ પર મરાઠાવાડા આવ્યા હતા અને તમે નામ બદલી દીધું છે, પરંતુ તેમણે શહેરોમાં આવીને નાગરિકોને ધમકી આપી છે. લોકો રોજ કહે છે કે જો કંઈક થઈ જાય તો તમે મને જવાબદાર ઠેરવી દેશો, પરંતુ મેં તેમને રોકી દીધા છે.

તેમણે કહ્યું કે, અમે શાંતિપૂર્ણ રીતે નામ પરિવર્તનનો વિરોધ કરવા માગીએ છીએ. શહેરમાં એટલા બધા મંત્રી ફરી રહ્યા છે, જો કંઈક થઈ ગયું તો કોણ જવાબદાર? એટલે હું કહી રહ્યો છું કે પહેલા તમારા માટે હોટલ બૂક છે ભોજન વગેરે ખાઈ લો અને આરામથી રહો. અમે કોર્ટમાં લડાઈ લડતા રહીશું. પછી ભલે અમને રોડ પર આવવાની જરૂરિયાત પડે. એ લોકો માટે શહેરનું નામ મોટું નથી, તેમના માટે તેમનું પદ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ હું તમારી જવાબદારીના રૂપમાં બધાને આમંત્રિત કરું છું. અત્યારે કોર્ટમાં લડાઈ ચાલી રહી છે અને ચાલુ રહેશે. વકીલો સાથે ચર્ચા બાદ તેમણે નક્કી કર્યું કે શું તેઓ એમ કરી શકે છે?

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.