લોકસભામાં 5,000 રૂપિયા લઇને HG મુદગલે સવાલ પુછેલો, સભ્ય પદ રદ થવાનો પહેલો કિસ્સો

વર્ષ 1951થી માંડીને અત્યાર સુધીમાં લોકસભા અને રાજ્યસભામાં 16 સાંસદોના સભ્ય પદ રદ થઇ ચૂક્યા છે. જેમાં રાહુલ ગાંધી, ઇંદિરા ગાંધી, વિજય માલ્યા સહિતના સાંસદો સામેલ છે. સૌથી પહેલા લોકસભામાં જેમણે સાંસદ તરીકેનું પદ ગુમાવવું પડેલું એ HG મુદગલ હતા.

પહેલો કેસ 25 સપ્ટેમ્બર 1951નો છે. યોગાનુયોગ આ સાંસદો કોંગ્રેસના જ હતા. તેમનું નામ Hucheshwar Gurusidha Mudgal હતું. સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવા બદલ તેમને લોકસભામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને ગેરલાયક ઠેરવીને સભ્યપદ લઇ લામાં આવ્યું હતુ. ત્યાં સુધી દેશમાં પહેલી લોકસભા ચૂંટણી થઈ ન હતી. દેશમાં કામચલાઉ સરકાર હતી.તેમને એક બિઝનેસમેન પાસેથી પ્રશ્નો પૂછવા માટે પૈસા મળ્યા હતા.

જ્યારે મુદગલ પર આ આરોપ લાગ્યો તો પહેલા એક વિશેષ સંસદીય તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમના પ્રમુખ પદે ટીટી કૃષ્ણામાચારી હતી અને બીજા સભ્યોમાં પ્રોફેસર કે ટી શાહ, સૈયદ નોશેરલી, જી દુર્ગાબાઇ અને કાશીનાથ વૈદ્ધ હતા.

આ સમિતિની રચના 08 જૂન 1951ના રોજ કરવામાં આવી હતી. જેની રચના સંસદે કરી હતી. અગાઉ સંસદમાં ચર્ચા થઈ હતી, જેમાં મુદગલે પોતે પણ ભાગ લીધો હતો. મુદગલને હટાવવાની દરખાસ્ત પર મતદાન થાય તે પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ મુદગલ સામેની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.તેમણે કહ્યું હતું કે જો સંસદ આવા મામલામાં કડક કાર્યવાહી નહીં કરે તો જનતામાં ખોટો સંદેશ જશે.

મુદગલે પૈસા લઇને સંસદમાં સવાલ પુછેલો એ વાતની જાણકારી એક સ્ટિંગ ઓપરેશન દ્રારા સામે આવી હતી. સંસદીય સમિતિએ 387 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં કહેવાયુ હતું કે, મુદગલના સંપર્ક બોમ્બે બુલિયન એસોસિયેશન સાથે હતા. મુદગલે બુલિયન એસોસિયેશન પાસેથી લોકસભામાં સવાલ પુછવા માટે 5,000 રૂપિયા લીધા હતા, જે સવાલને કારણે બુલિયન એસોસિયેશનને મોટો ફાયદો થઇ શકે તેમ હતો. એ પછી મુદગલે જવાહરલાલ નહેરુ સમક્ષ કબુલ કર્યું હતું કે તેમને 2700 રૂપિયા મળ્યા હતા.

15 નવેમ્બર 1976માં સુબ્રમણ્યમ સ્વામીને દેશની બહાર જઇને સંસદને લઇને ખોટી કમેન્ટ કરવા બદલ તેમની રાજ્યસભામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. 18 નવેમ્બર 1977માં ઇંદિરા ગાંધી સામે પ્રધાનમંત્રી તરીકે પદનો  દુરપયોગ કરવા બદલ તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું

વર્ષ 2005માં નોટ ફોર કવેરીઝ મામલામાં લોકસભામાં એક સ્પેશિયલ કમિટીની રચના પવન કુમાર બંસલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ કમિટીએ પૈસા લઇને લોકસભામાં સવાલ પુછનારા 10 સાંસદોન સામે તપાસ કરી હતી અને એ પછી એ 10 સાંસદોને લોકસભામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.