75 વર્ષમાં એવા PM આવ્યા છે જે સુપ્રીમ કોર્ટના આદેશને પણ માનતા નથી: CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન પર મહારેલીને સંબોધિત કરી હતી. કેન્દ્રના વટહુકમ સામે બોલાવવામાં આ રેલીમાં કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે ઘણા વર્ષો પછી આપણે રામલીલા મેદાન પર ભેગા થયા છે. 12 વર્ષ પહેલાં અમે ભ્રષ્ટાચાર સામેની લડતમાં આ મેદાન પર ભેગા થયા હતા અને આજે દેશના એક અહંકારી તાનાશાહને હટાવવા માટે ભેગા થયા છે.

રામલીલા મેદાન પર હુંકાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખી  દીધા છે. મારે તેમને કહેવું છે કે, અમારી પાસે 1 મનીષ સિસોદીયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદીયા છે, અમારી પાસે એક સત્યેન્દ્ર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દ્ર જૈન છે. તમે એક ને જેલમાં નાંખશો તો બીજા કામ કરવા આવી જશે, પરંતુ દિલ્હીના વિકાસનું કામ અટકશે નહી.

કેજરીવાલે કહ્યું કે, 11 મેના દિવસે દેશની સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં ચુકાદો આપ્યો હતકો અને 19મે ના દિવસે મોદી સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટને આદેશને રદ કરી દીધો. 75 વર્ષમાં એવા PM આવ્યા છે જે કહે છે કે હું સુપ્રીમ કોર્ટના આદેશને માનતો નથી.

કેજરીવાલે કહ્યું કે, દેશની અંદર પ્રજાતંત્ર ખતમ થઇ રહ્યું છે, એને જ તો તાનાશાહી અને હીટલરશાહી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતું કે જનતા સુપ્રીમ છે.PM મોદીનો વટહુકમ કહે છે દિલ્હીની જનતા સુપ્રીમ નથી LG સુપ્રીમ છે.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ વાળા મને રોજ ગાળો આપે છે, મારા અપમાનની મને કોઇ ચિંતા નથી, પરંતુ આ વખતે ભાજપે તમારા લોકોનું અપમાન કર્યું છે અને પ્રજાનું અપમાન હું સહન કરી શકું નહીં. આ વટહુકમને અમે રદ કરાવીને સુપ્રીમ કોર્ટનો આદેશ લાગૂ કરાવીશું.

દિલ્હીના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે હું આખા દેશમાં ફરી રહ્યો છુ અને દેશના 140 કરોડ લોકો AAPની સાથે છે. હું આખા દેશને કહેવા માંગું છુ કે જે રીતે દિલ્હીમાં વટહુકમ લાગૂ કરવામાં આવ્યો તે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કુલ 21 વર્ષ રાજ કર્યું છે. મને રાજ કરતા હજુ 8 વર્ષ જ થયા છે. કેજરીવાલે પડકાર ફેંકતા કહ્યું કે, PM મોદીના 21 વર્ષ અને મારા 8 વર્ષની કામગીરીની સરખામણી કરી જોજો, કોણે વધારે કામ કર્યું છે

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.