અમેઠીનું શૌચાલય નહીં જોયું હોય, દિવાલ વગર જ 4 ટોયલેટ સીટ, અધિકારી જુઓ શું કહે

PC: uptak.in

ઉત્તર પ્રદેશના જનપદ અમેઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. અહીં જાહેર શૌચાલય દરવાજા અને દિવાર વગર જ બનાવી દેવામાં આવ્યું છે. શૌચાલયમાં 4 સીટ આજુબાજુ લગાવી દેવામાં આવી છે અને વચમાં કોઇ દિવાર જ રાખવામાં નથી આવી. વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસે અમેઠીના સાંસદ અને કેન્દ્રીય નેતા સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે.તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી જવાને કારણે અધિકારીએ આનો પાંગળો બચાવ કર્યો છે.

જનપદની જગદીશપુર વિધાનસભાના કટેહટી ગામનો આ મામલો છે. આ ગામમાં જાહેર શૌચાલયમાં 4 ટોયલેટ સીટ છે, પરંતુ દિવાર બનાવવા નથી આવી કે કોઇ દરવાજો પણ નથી. કોઇએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

આ વીડિયો સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કેન્દ્રીય નેતા અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે લખ્યિ કે અમેઠીમાં બનેલા આ શૌચાલયને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવે તો કેવું રહેશે. જુઓ અહીં 5 બેઠકો રાખવામાં આવી છે, કોંગ્રેસે કટાક્ષમાં કહ્યું કે પરંતુ વચ્ચે કોઇ દિવાર નથી. ઊલટાનું એવું ગોઠવાયુ છે કે જાણે એક હોલમાં પાંચ ખાટલા પડ્યા હોય.હા ભાઈ, હવે આ એક્સિડેન્ટલ MP મેડમ, મહારાણી મેડમના વિસ્તારમાં , તો કંઈક જુદું જ હોવું જોઈએ ને. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યુ કે પૈસા તો દિવાલ બનાવવાના પણ આવ્યા હશે તો પછી એ પૈસા કોણ ખાય ગયું? કોન્ટ્ર્કાટર, અધિકારી, મંત્રી કે પછી બધા ભેગા મળીને.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓએ શૌચાલયની સાફસફાઇ કરાવી દીધી છે અને અધિકારીએ ક્હયું કે, એ તો નાના બાળકો માટે એક પ્રયોગ કરવા માટે આવું શૌચાલય બનાવવામાં આવ્યું છે.

ગ્રામ પ્રધાન જાવાદે કહ્યું કે આ શૌચાલય મારા સમયગાળામાં બન્યું નથી. અધિકારીઓ ગામ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોઇ ખામી હશે તો સુધારી દેવામાં આવશે. ગામાના છોકરાઓ આવીને શૌચાલયમાં તોડફોડ કરી નાંખે છે.

પંચાયતી રાજ અધિકારી શ્રીકાંત યાદવે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા, તે જ ક્રમમાં કાટેહટી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય તેમના માતાપિતા સાથે અહીં આવતા બાળકો માટે બનાવવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે આવા શૌચાલય માટે કોઈ સરકારી સૂચના નથી.

ગ્રામીણ દુર્ગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, શૌચાલય સુધી પહોંચવા માટે કોંક્રીટનો રસ્તો નથી. બાળકો માટે બનાવેલી સીટોમાં પડદો પણ નથી. અહીં છોકરીઓને મોકલવામાં ખચકાટ થાય છે. આજના યુગ પ્રમાણે આ રીતે શૌચાલય ન બનાવવું જોઈએ. શૌચાલયને બને તેટલી વહેલી તકે રીપેર કરાવવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp