રાજસ્થાનમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ, જયપુરના હનુમાન મંદિરમાં માંસ ફેકાયું

રાજસ્થાનમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. રાજધાની જયપુરમાં આવેલા પંચ્યાવાલા હનુમાન મંદિરમાં કેટલાક અસામાજિક લોકોએ બે કટ્ટામાં ભરેલું માંસ ફેંકી દીધું છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાયેલો છે. મંદિર સમિતિના લોકોએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

પંચ્યાવાલા મંદિર સેવા સમિતિના લોકોનું કહેવું છે કે, કેટલાક અજાણ્યા લોકો દ્વારા મંદિરની અંદર માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે મંદિરના પૂજારીએ કટ્ટાને જોયો તો તેણે તરત જ મંદિર સેવા સમિતિના સેક્રેટરી મોતીરામ ચોપરાને જાણ કરી હતી. બાલાજી મંદિરના પૂજારી રામકિશોરે જણાવ્યું કે, રાત્રે કોઈએ માંસ ભરેલી બેગ ફેંકી ગયા હતા. જેમાં કાપેલું માંસ ભરવામાં આવ્યું હતું. મંદિર સેવા સમિતિના સચિવ ચોપરાએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. આ અંગે ખબર મળતાં જ  ઘટનાસ્થળે પહોંચી પોલીસે મંદિરમાંથી કટ્ટા કાઢીને સર્વિસ લેન પર ફેંકી દીધા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંદિરમાં આ રીતે માંસના ટુકડાઓ ભરેલી બેગ  ફેંકીને હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. સ્થાનિક લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી અને મંદિરની નજીક ચાલતી માંસની દુકાનો બંધ કરાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે, અહીં માંસની દુકાનો ગેરકાયદે ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સ્થાનિક લોકો આ મામલે આગળ શું કરવું તે અંગે 9 વાગ્યે ભેગા થશે. જો આ ગેરકાયદેસર ચાલતી દુકાનો પર કાર્યવાહી નહીં થાય તો લોકોના તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ ઘટના બાદ પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં થયેલી ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે મંદિરમાં રાખેલા કટ્ટાને બહાર નીકળી નાખ્યા છે. હવે સ્થાનિક લોકો તેના દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ મામલામાં કરણી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, નજીકમાં માંસની દુકાનો છે. શક્ય છે કે, કૂતરો પણ તેને ક્યાંકથી ખેંચીને લઇ આવ્યો હોય. અત્યાર સુધી તેને લઈ જતો હોય તેવી વ્યક્તિ કે અન્ય કોઈ સામે નથી આવ્યું. પોલીસ દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે, અમુક તોફાની તત્વો પણ આવું કૃત્ય કરી શકે છે, પોલીસ બંને એંગલથી આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.