IPSએ ફેસબુક પર મહિલા IASની પ્રાઇવેટ તસવીર શેર કરતા હોબાળો

કર્ણાટકમાં 2 મહિલા કર્મચારીઓ વચ્ચે વિવાદ તેજીથી વધી રહ્યો છે. તેમાં એક તરફ મહિલા IPS  અધિકારી ડી. રૂપા છે અને બીજી તરફ IAS અધિકારી રોહિણી સિંધૂરી છે. રવિવારે એ સમયે બધા હેરાન રહી ગયા, જ્યારે ડી. રૂપાએ રોહિણી સિંધૂરીની કેટલીક અંગત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. તેમણે દાવો કર્યો કે, સિંધૂરીએ 3 પુરુષ IAS અધિકારીઓને પોતાની અંગત તસવીરો પોતે મોકલી હતી. રૂપાએ શનિવારે રોહિણી સિંધુરી પર 19 આરોપ લગાવ્યા.

રોહિણી સિંધુરીએ રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, રૂપા તેમને બદનામ કરવા માટે ખોટા આરોપ લગાવી રહી છે. રૂપાએ રવિવારે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને કહ્યું કે, ‘આ તસવીરો સામાન્ય લાગે છે, પરંતુ એક મહિલા IAS અધિકારી એક કે બે કે ત્રણ IAS પુરુષ અધિકારીઓને શેર કરે તો તેનો શું અર્થ છે? આ તેનો પ્રાઇવેટ મામલો નહીં હોય. IAS સર્વિસ કંડક્ટ રૂલ્સ મુજબ તે ગુનો છે. કોઈ પણ તપાસ એજન્સી આ તસવીરોની વાસ્તવિકતાની તપાસ કરી શકે છે. સલૂન હેરકટ, ઓશિકા લઈને સૂતી વખત લેવામાં આવેલી તસવીર કેટલાક લોકો સામાન્ય અનુભવી શકે છે. નહિતર મોકલેલી હાલત બોલે છે.

IAS અધિકારી રોહિણી સિંધુરી કર્ણાટક કેદાર 2009 બેચના IAS અધિકારી છે. તેઓ મૂળ રૂપે આંધ્ર પ્રદેશના રહેવાસી છે. તેઓ અત્યાર સુધી ઘણા પદો પર કામ કરી ચૂક્યા છે. આ સમય તે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગના કમિશનર તરીકે કામ કરી રહ્યા છે. તો ડી. રૂપાની વાત કરીએ તો તેઓ કર્ણાટક હસ્તશિલ્પ વિકાસ નિગમમાં MDના રૂપમાં કામ કરી રહ્યા છે. સિંધુરીએ ત્યારબાદ નિવેદનમાં કહ્યું કે, તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે.

તેમણે મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા અને વૉટ્સએપ સ્ટેટસમાંથી મારી તસવીરોના સ્ક્રીનશોટ એકત્રિત કર્યા છે. જેમ કે તેમણે આરોપ લગાવ્યો છે મેં આ તસવીરોને મોકલી છે તો હું તમને તેમના નામોનો ખુલાસો કરવાનો આગ્રહ કરું છું. IPS અધિકારી રૂપાએ પ્રશાસનને આગ્રહ કર્યો કે સિંધુરી પર સહાનુભૂતિ ન દેખાડે અને તેમની વિરુદ્ધ લાગનારા આરોપોની તપાસ કરે. રૂપાએ કહ્યું કે, તેઓ આ મામલે જનતાના ધ્યાનમાં લઈને આવ્યા છે.

શું શું આરોપ લાગ્યા?

ડી. રૂપાએ સિંધુરી પર 19 આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમણે 3 IAS અધિકારીઓને કેટલીક તસવીર શેર કરી છે, સંપત્તિના બિઝનેસમાં તેમના પરિવારના સભ્યોની મદદ કરવા માટે જમીનના કેટલાક ભૂખંડોના સર્વેક્ષણ, કાર્યવાહી અને રેકોર્ડ વિભાગ પાસેથી વિવરણ માગવા માટે તેમના અધિકારનો દુરુપયોગ થયો છે. વધેલા બિલોના રિમ્બર્સમેન્ટ્સ માટે તેમની વિરુદ્ધ લોકાયુક્ત ફરિયાદ છે.

IAS અધિકારી ડી.કે. રવિની આત્મહત્યામાં તેમની ભૂમિકા છે અને તેઓ રાજનેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. રૂપાએ એમ પણ કહ્યું કે, મેં આ પહેલી વખત સાંભળ્યું કે, કોઈ IAS અધિકારી ડ્યુટી દરમિયાન કોઈ ધારાસભ્ય કે રાજનૈતિક વ્યક્તિ સાથે બેઠક કરી રહ્યા છે. તેમણે સિંધુરી પર કોરોના મહામારીના સમયે ઘર પર સ્વિમિંગ પુલ બનાવવાને લઈને પણ આરોપ લગાવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.