CWC ચૂંટણી પર કોંગ્રેસમાં ફૂટ? મહત્ત્વની બેઠકથી દૂરી બનાવી શકે છે ગાંધી પરિવાર

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની ચૂંટણીને લઇને પાર્ટીમાં હલચલ તેજ છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણીની ચર્ચાને લઇને થનારી બેઠકથી ગાંધી પરિવાર દૂરી બનાવી શકે છે. જો કે, પાર્ટી તરફથી અત્યાર સુધી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ અગાઉ CWCની ચૂંટણી વર્ષ 1997માં તાત્કાલિન અધ્યક્ષ સીતારામ કેસરીના કાળમાં થઇ હતી. એવા સમાચાર છે કે સંચાલન સમિતિ (જેને પહેલા CWC) કહેવામાં આવતી હતી, શુક્રવારે સવારે 10 વાગ્યે મોટી ચર્ચા થવા જઇ રહી છે.

આ બેઠકથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દૂરી બનાવી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણી માટે તૈયાર છીએ. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો નિર્ણય ચૂંટણીના પક્ષમાં આવે છે તો ચૂંટણી કરાવવામાં આવશે.’ શુક્રવારથી છત્તીસગઢની રાજધાની રાયપુમાં 85મું અધિવેશન શરૂ થઇ રહ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા આ મહામંથનમાં પાર્ટી આગામી વિધાનસભાઓ અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પર રણનીતિ તૈયાર કરી શકે છે.

બેઠક દરમિયાન CWC ચૂંટણી પણ મોટો એજન્ડા માનવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, પાર્ટીમાં સમિતિ માટે ચૂંટણી થશે કે નહીં. એક મીડિયા રિપોર્ટ મુજબ, પાર્ટી નેતાઓનો એક વર્ગ માને છે કે રાહુલ ગાંધી ચૂંટણીના પક્ષમાં છે. સાથે જ એવી પણ સંભાવનાઓ છે કે, જો ચૂંટણી થાય છે તો પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતરી શકે છે. ખાસ વાત એ છે કે સમિતિના સભ્ય અને વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ પહેલા જ ચૂંટણીની માગ કરી ચૂક્યા છે.

અટકળો છે કે CWCમાં પૂર્વ અધ્યક્ષો અને પાર્ટી સાથે જોડાયેલા વડાપ્રધાનોને સ્થાયી સભ્યતા આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો એમ થાય છે તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહની જગ્યા પાક્કી થઇ જશે. જો કે, આ પદો પર ન રહેવાના કારણે પ્રિયંકા ગાંધીની સ્થાયી સભ્યતા પર સવાલ છે. સંભાવનાઓ છે કે, CWCમાં જગ્યા મેળવવ માટે તેમને ચૂંટણી લડવી પડી શકે છે. ખેર હવે જોવાનું એ રહ્યું છે કે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે, ગાંધી પરિવાર તેમાં સામેલ થાય છે કે નહીં.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.