પત્ની અને બે બાળકોની હત્યા કરી લાશને ઘરમાં દાટી, 2 મહિના પછી થયો ખુલાસો

PC: jagran.com

ગયા રવિવારે, પોલીસે રતલામ શહેરની નજીકની એક વસાહતની એક બિલ્ડિંગમાંથી એક મહિલા અને બે માસૂમ બાળકોના હાડપિંજર મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પારિવારિક વિવાદ બાદ બે મહિના પહેલા ક્રૂર પતિએ તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને તેના ઘરના આંગણામાં દાટી દીધા હતા. બાતમીદાર પાસેથી મળેલી માહિતી બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને નક્કર માહિતી પછી મકાનમાં ખોદકામ કર્યું હતું. પોલીસે હત્યારા પતિ અને પિતા તથા આ ઘટનામાં સાથીદાર તેના એક મિત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રતલામ શહેરની બાજુમાં કનેરી રોડ પર સ્થિત વિંધ્યવાસિની કોલોનીમાં બની હતી. આ ભયાનક, ડરામણા અને શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરનારા હત્યાકાંડની સંપૂર્ણ વિગતો આવવાની હજુ બાકી છે. પ્રાથમિક માહિતી અનુસાર કોલોનીમાં એક મકાનમાં જમીનની નીચે ખોદકામ કરતી વખતે ત્યાંનું દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના શરીરમાંથી એક ધ્રુજારી છૂટી ગઈ હતી. ખોદકામમાં, એક મહિલા અને 4 અને 7 વર્ષની વયના બે બાળકોના હાડપિંજરના રૂપમાં મૃતદેહો મળી આવ્યા હતા.

પોલીસને પરિવારના ગુમ થવા અને કથિત હત્યા અંગેની ગુપ્ત સૂચના મળ્યા બાદ આ ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી. મળેલી ગુપ્ત માહિતીની તપાસમાં પોલીસને સત્ય હકીકત મળી હતી, જે બાદ પોલીસે ગુપ્ત રીતે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ઘરમાં ખોદવાનો પ્લાન બનાવ્યો હતો. SP અભિષેક તિવારીના નેતૃત્વમાં શહેરના તમામ સ્ટેશન ઈન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ, FSL, ફોરેન્સિક નિષ્ણાતો વગેરે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે વિંધ્યવાસિની કોલોની પહોંચ્યા હતા.

અહીં સોનુ, પિતા રાજેશ તલવાડેના ઘરમાં ઘુસીને ખોદકામ શરૂ કર્યું. જમીનની નીચેથી એક નહીં પરંતુ ત્રણ મૃતદેહો બહાર આવ્યા હતા. એક મૃતદેહ તલવાડેની બીજી પત્ની નિશા તલવાડેનો છે. આ સિવાય તેની 4 વર્ષનો માસૂમ બાળક અને 7 વર્ષની નાની બાળકીના મૃતદેહ પણ મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના લગભગ બે મહિના પહેલા બની હતી. જલ્લાદ તલવડે હત્યા બાદ બે મહિના સુધી ત્યાં રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, હત્યારો સોનુ રેલવેમાં નોકરી કરે છે અને નિશા સાથે બીજા લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, વિવાદના લગભગ બે મહિના પછી, જ્યારે આસપાસના લોકોએ તેની પત્ની અને બાળકોને જોયા નહીં. ત્યાર બાદ પૂછપરછ દરમિયાન તેણે જુદા જુદા બહાના કર્યા હતા. જેના આધારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. કહેવાય છે કે, હત્યામાં સોનુનો સાથી બંટી કૈથવાર પણ મદદગાર હતો.

હત્યા બાદ સોનુએ બંટીની મદદથી ખાડો ખોદીને ત્રણેયના મૃતદેહ ઘરમાં છુપાવી દીધા હતા. આ ઘરમાં રહીને તે ખાતો-પીતો અને આનંદથી રહેતો હતો. હાલ ઘટના સ્થળે પોલીસ તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp