આકરા તાપમાં, તૂટેલી ખુરશીના સહારે વૃદ્ધા પેન્શન લેવા ઉઘાડા પગે ચાલી બેંક પહોંચી

સોશિયલ મીડિયામાં અવાર-નવાર કોઈ ને કોઈ આવા વિડિયો વાઈરલ થતા રહે છે . જે લોક ચર્ચાનો વિષય બની જાય છે. ઘણી વખત એવા વીડિયો પણ સામે આવે છે જે લોકોના દિલને હચમચાવી નાખે છે. તાજેતરનો કેસ ઓડિશાના ઝરીગાંવ વિસ્તારના નબરંગપુર ગામની એક 70 વર્ષીય વૃદ્ધ મહિલા સૂર્યા હરિજનનો સામે આવ્યો છે. એ વૃદ્ધ મહિલાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર, વૃદ્ધ મહિલા (વરિષ્ઠ નાગરિક) પોતાનું પેન્શન લેવા માટે ખુરશીનો સહારો લઈને બેંક જઈ રહી છે. આ પ્રકારનો દાવો વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે.

મીડિયાના સૂત્રો અનુસાર, ઓડિશાના નબરંગપુરની એક 70 વર્ષીય મહિલા બેંકમાંથી પેન્શન મેળવવા માટે ખુરશીની મદદથી ઉઘાડપગે કેટલાય કિલોમીટર ચાલીને જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ આ વૃદ્ધ મહિલાની ખુરશી તૂટી ગઈ છે. ધોમધખતો તાપ પડી રહ્યો છે. તેમાં પણ તે ખુલ્લા પગે ચાલતી જોઈ શકાય છે. ઘટના 17 એપ્રિલની બતાવવામાં આવે છે.

હાલમાં જોવામાં આવે તો દેશભરમાં આકરી ગરમી પડી રહી છે. આ તાપમાં માણસો અને પ્રાણીઓ બધા જ આવી આકરી ગરમીથી પરેશાન છે. પરંતુ આવા સમયે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના વૃદ્ધ મહિલા કેટલાય કિલોમીટર સુધી ખુલ્લા પગે ચાલીને બેંક સુધી પહોંચે છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. આવી સ્થિતિમાં ખુલ્લા પગે ચાલવું કેટલું મુશ્કેલ હશે, તેનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.

સૂર્યા હરિજન, એક વૃદ્ધ મહિલા, ખૂબ ગરીબ છે. તેનો મોટો પુત્ર અન્ય રાજ્યમાં પરપ્રાંતિય મજૂર તરીકે કામ કરે છે. તે તેના નાના પુત્રના પરિવાર સાથે રહે છે. તે અન્ય લોકોના ઢોર ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવાર પાસે ખેતી કરવા માટે જમીન નથી અને ઝૂંપડામાં રહે છે. મહિલા પેન્શન લેવા માટે બેંકમાં ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે, તેના અંગૂઠાની છાપ રેકોર્ડ સાથે મેળ ખાતી નથી, અને તેને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી.

એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ ગુરુવારે નાણામંત્રી નિર્મલ સીતારમણની નજર પડી, જેમાં મહિલાને ઓડિશાના નબરંગપુરમાં પેન્શનના પૈસા લેવા જતી વખતે આકરી ગરમી અને તડકામાં કેટલાય કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલતી બતાવવામાં આવી છે. સીતારમને આ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ઝાટકણી કાઢી અને પૂછ્યું કે શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી?

SBIએ નાણામંત્રીના ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું કે, તેઓ પણ આ વીડિયો જોઈને એટલા જ દુઃખી થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતા મહિનાથી પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.

આ ઘટના પર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજરે દાવો કર્યો છે કે તેમની 'તૂટેલી આંગળીઓ' ને કારણે તેમને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બેંક સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે.

SBIની ઝરીગાંવ શાખાના મેનેજરે કહ્યું કે, તેની આંગળીઓ તૂટી ગઈ છે. જેના કારણે તેમને પૈસા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બેંકે મહિલાને મેન્યુઅલી 3,000 રૂપિયા આપ્યા છે. બેંક ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવશે.

બેંક મેનેજરે કહ્યું કે, હવે સૂર્યાને આવી રીતે બેંકમાં આવવાની જરૂર નહીં પડે. આ માટે બેંક કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે, જેથી સૂર્યાને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બીજી તરફ ગામના સરપંચનું કહેવું છે કે, આવા લાચાર લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમને ઘરે બેઠા પેન્શન આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.