રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ, જાણો તેમણે પોતે શું કહ્યું?

જે મુદ્દા પર વિપક્ષ નવા સંસદ ભવનના ઉદઘાટનને રાજકારણ સાથે જોડી રહ્યું હતું, તેમનો દાવ તેમના પર જ ઉલટો પડી ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. જો કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના સંદેશામાં કહ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન PM મોદીના હસ્તે થવું એ સંતોષની વાત છે. વિપક્ષના વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28મીને રવિવારે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દીધું હતું અને પ્રજાને સંબોધન પણ કર્યું હતું.

જ્યારથી નવા સંસદ ભવનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિરોધ ચાલું કર્યો હતો અને એવી માંગણી કરી હતી કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. લગભગ 20 વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કરીને કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઇએ. વિપક્ષે સાથે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે વીર સાવરકર જંયતિના દિવસે જ કેમ નવા સંસદ ભવનના ઉદઘાટનની તારીખ નક્કી કરવામાં આવી?  વિપક્ષોએ નવા સંસદ ભવન ઉદઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

જો કે વિરોધ પક્ષોનો આ દાવ ઉંધો પડી ગયો,જ્યારે ઉપાધ્યક્ષ હરિવંશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનો સંદેશો વાંચી સંભળાવ્યો. રાષ્ટ્રપતિએ સંદેશમાં લખ્યું છે કે PM મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી રહ્યા છે તેનો સંતોષ છે. નવા સંસદ ભવન નીતિઓ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સહિત તમામ દેશવાસીઓની જરૂરિયાતોને સક્રિયપણે સમાધાન સુનિશ્ચિત કરશે.આ લોકશાહીનું પારણું છે.આપણો દેશ લોકતંત્રના વૈશ્વિક ફેલાવાના સંરક્ષકમાં સહાયક રહ્યો છે.

આ પહેલા રાજયસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણે કહ્યું કે, નવું સંસદ ભવન સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. ગૌરવશાળી ભવન નવો ઇતિહાસ લખશે.નવું સંસદ એ ગુલામીના માનસિકતામાંથી મૂક્તિનું પ્રતિક છે. દેશના દરેક ખુણામાંથી લાવવામાં આવેલી સંસ્કૃતિની ભવ્યતા છે.

નવા સંસદ ભવનના ઉદઘાટન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ નવું ભવન આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાને સાકાર કરવાનું સાધન બનશે. આ નવું ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધી મેળવતું દેખાશે. નવા રસ્તા પર ચાલી ને જ નવો કિર્તીમાન બનાવી શકાય છે. આજે નવું ભારત નવું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. નવો જોશ છે, નવો ઉમંગ છે, દિશા નવી છે, દ્રષ્ટ્રિ નવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.