ઉમેદવારનું શુક્રવારે હાર્ટ એટેકથી અવસાન, શનિવારે 3 મતથી ચૂંટણી જીતી

જીવન પર કોઈનું પણ નિયંત્રણ હોતું નથી, માણસના જીવન મરણની પ્રક્રિયા ઉપરવાળાના હાથમાં હોય છે, આજે તે સાબિત થઈ ગયું છે. કાદિપુર નગર પંચાયતના ઉમેદવાર સંત પ્રસાદનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જ્યારે, બીજી તરફ આજે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ ચૂંટણી જીતી ગયા છે. 

ઉત્તર પ્રદેશમાં આજે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે સુલતાનપુરની કાદીપુર નગર પંચાયતના નિરાલા નગર વોર્ડના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં જીતેલા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ પહેલા શુક્રવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 

આ પછી, શનિવારે નિરાલા નગર વોર્ડના મૃત ઉમેદવાર સંતરામ નગર પંચાયત કાદીપુરમાં જીત્યા હતા. સંતરામે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. તેમને કુલ 217 વોટ મળ્યા હતા. સંતરામે તેમના વિરોધી રમેશને માત્ર ત્રણ મતથી હરાવ્યા હતા. 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સંતરામનું શુક્રવારે કેરીના બગીચાની રક્ષા કરતી વખતે તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું. કાઉન્સિલર ઉમેદવાર સંત પ્રસાદના મૃત્યુના સમાચાર મળતા જ તેમના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નગર પંચાયત કાદીપુરમાં દસ વોર્ડ છે. જેમાં નિરાલા નગર વોર્ડનો પણ સમાવેશ થાય છે. શોક વ્યક્ત કરવા માટે, મૃતક કાઉન્સિલર ઉમેદવારના ઘરે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. 

સંત પ્રસાદ 65 વર્ષના હતા. તેમને પરિવારમાં બે પુત્રો અને પાંચ પુત્રીઓ છે. બધી દીકરીઓને તેઓ પરણાવી ચુક્યા હતા. સંત પ્રસાદ બીજ, ફળો અને શાકભાજીનો વેપાર કરતા હતા. SDS શિવ કુમારના જણાવ્યા અનુસાર, હવે કાદીપુર નગર પંચાયતના નિરાલા વોર્ડ નંબર 10માં ફરીથી ચૂંટણી યોજવી પડશે. 

અહીં તમને જણાવી દઈએ કે, UPમાં 4 અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું, જેના મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં UPના 37 જિલ્લાઓમાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશન, 104 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 276 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કામાં 38 જિલ્લામાં 7 મહાનગરપાલિકા, 95 નગર પરિષદ અને 268 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.