જેમ બને તેમ જલદી દેશ છોડી દો, આ દેશને લઈને ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી

આફ્રિકન દેશ નાઇજરમાં લગભગ બે અઠવાડિયા અગાઉ તખ્તાપલટ વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે, નાઇજરમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર અમે સૂક્ષ્મતાથી નજર બનાવી રાખી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા જે ભારતીય નાગરિકોએ નાઇજરમાં રહેવું જરૂરી નથી, તેમને જેમ બને તેમ જલદી દેશ (નાઇજર) છોડવાની સલાહ આપવામાં આવે છે.

તેમણે આગળ કહ્યું કે, નાઇજરમાં રહેતા ભારતીય નાગરિક તેનું ધ્યાન રાખે કે નાઇજરમાં હાલમાં હવાઈ સેવા બંધ છે. એવામાં જો તેઓ રોડ માર્ગે દેશ છોડી રહ્યા છે અને સેફ્ટી અને સિક્યૉરિટીને લઈને વધુ સાવધાની રાખે. એડવાઇઝરીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જે લોકો આગામી દિવસોમાં નાઇજર જવાની યોજના બનાવી રહ્યા છે, તેમને પણ સ્થિતિ સામાન્ય થવા સુધી પોતાની યોજના પર ફરી વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે.

સાથે જ નાઇજરની રાજધાની નિયામી સ્થિત ભારતીય દૂતાવાસમાં જેમણે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને એ સલાહ આપવામાં આવે છે કે વહેલી તકે ભારતીય દૂતાવાસથી પોતાને રજીસ્ટ્રેશન કરાવે. ઇમરજન્સી સંપર્ક માટે પણ ભારત સરકારે નંબર જાહેર કર્યો છે. ઇમરજન્સી સ્થિતિમાં ભારતીય નાગરિક નિયામી સ્થિત ભારતીય દૂતાવાસના નંબર (+227 9975 9975) પર સંપર્ક કરી શકે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલમાં નાઇજરમાં કેટલા ભારતીય નાગરિક છે તો તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ત્યાં લગભગ 250 ભારતીય નાગરિક છે. ઉલ્લેખનીય છે કે, નાઇજરમાં સેનાએ રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવાતા દેશની કમાન પોતે સંભાળી છે. લગભગ બે અઠવાડિયા અગાઉ નાઇજરના રાષ્ટ્રપતિ મોહમ્મદ બજૌમને સેનાએ કસ્ટડીમાં લેતા દેશનો કંટ્રોલ પોતે લેવાની જાહેરાત કરી દીધી હતી.

કોઈ દેશ મદદ માટે આગળ ન આવે, તેના માટે સેનાએ પોતાની નાઇજર બોર્ડરને પૂરી રીતે સીલ કરી દીધી છે. નાઇજરમાં તખ્તાપલટનું કારણ નાઇજરના રાષ્ટ્રપતિને મોહમ્મદ બજૌમ બતાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીના સમયે જ તેમના પર આરોપ લાગતો રહ્યો છે કે તેઓ દેશના મૂળ નિવાસી નથી, પરંતુ બાહ્ય છે. હકીકતમાં તેઓ અરબ માઈનોરિટી ગ્રુપના છે જેનો સંબંધ મિડલ ઇસ્ટથી રહ્યો છે. જો કે, આ સમુદાય ઘણા સમય પહેલા આફ્રિકામાં વસી ગયા, પરંતુ સ્થાનિક લોકોએ અત્યાર સુધી તેમનો સ્વીકાર કર્યો નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.