લદ્દાખમાં ચીની સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક જરૂરિયાત છે અને આ જ કારણ છે કે તે આક્રામક રીતે પોતાની સેનાને તહેનાત કરી રહ્યું છે જેથી તે ભારત તરફથી વધુ ક્ષેત્રો પર દાવો કરવા માટે વાડાબંધી વિનાના સ્થળો પર દબદબો કાયમ કરી શકે. આ વાત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરિત કરવામાં આવેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પૂર્વી લદ્દાખમાં ભારત-ચીનના સૈનિકોમાં હજુ વધુ ઝડપો થઈ શકે છે. આ પહેલા એ ખુલાસો થયો હતો કે ભારતે 65માં એવા 26 પેટ્રોલિંગ પોઈન્ટ પર પોતાના નિયંત્રણો ગુમાવી દીધા છે, જ્યાં BSFનું પેટ્રોલિંગ નહોતું થઈ રહ્યું.

ગત અઠવાડિયે થયેલી પોલીસ મહાનિદેશકો/ પોલીસ મહાનિરીક્ષકોની બેઠકમાં ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંબંધિત દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સરહદ રક્ષા રણનીતિને ભવિષ્ય માટે આર્થિક પ્રોત્સાહનની સાથે એક નવો અર્થ અને ઉદ્દેશ્ય અપાવો જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું કે, રણનીતિને ક્ષેત્ર-વિશિષ્ટ બનાવવામાં આવવું જોઈએ. ઉદાહરણ માટે તુરતુક અથવા સિયાચિન સેક્ટર અને દૌલત બેગ ઓલ્ડી અથવા દેપસાંગ મેદાનમાં સીમા પર્યટનને આક્રામકરીતે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે.

દૌલત બેગ ઓલ્ડીમાં કારાકોરમ દર્રા વિશે દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, તેનો ભારતના રેશમ માર્ગના ઈતિહાસ સાથે એક પ્રાચીન સંબંધ છે અને ઘરેલૂં પર્યટકો માટે ક્ષેત્ર ખોલવાથી તેના દૂર સ્થિત હોવાનો વિચાર પૂર્ણ થશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, દર્રા પર સાહસિક અભિયાનોને ફરીથી શરૂ કરવામાં આવી શકે છે અને ટ્રેકિંગ અને લાંબી પદયાત્રાના ક્ષેત્રોને સીમિત રીતે ખોલવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે, પૂર્વી સીમા ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક આવશ્યકતા છે અને તે આક્રામકરીતે પોતાની સેનાની તહેનાતી કરી રહ્યું છે. જેથી, તે ભારત તરફથી પેટ્રોલિંગ પોઈન્ટ્સ દ્વારા ચિન્હિત વાડાબંધી વિનાના ક્ષેત્રો પર દાવો જતાવવા માટે દબદબો કાયમ કરી શકે.

ત્રણ દિવસીય વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને દેશના આશરે 350 ટોચના પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ડેમચોકમાં નાના કૈલાશ પર્વતને પૂજા-અર્ચના કરવા માટે પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે અને તેનાથી એ ધર્મપરાયણ હિંદુઓ માટે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે જે માનસરોવર યાત્રા પર નથી જઈ શકતા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.