સપ્લાયમાં સુધારો અને ભાવ સ્થિર થતા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ પાછો લઈ શકે સરકાર

ચોખાની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે એક્સપોર્ટ ટેક્સ સાથે કેટલાક ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બજારમાં નવા પાકના આગમનથી ભાવ નિયંત્રણમાં આવી શકે છે. સરકાર સપ્લાયમાં સુધારો અને ભાવ સ્થિર થવાને કારણે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. ભારત સરકાર ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી શકે છે. સ્થાનિક બજારમાં ચોખાના વધતા ભાવમાં સ્થિરતા અને સપ્લાયમાં સુધારો આવ્યા બાદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધને સરકાર પાછો ખેંચી લેવાનું વિચારી શકે છે. તો સરકાર તેના સ્ટોકમાંથી ચોખાને ખુલ્લા બજારમાં વેચવાનું પણ વિચારી રહી છે.

અહેવાલો અનુસાર, સરકાર પાસે ચોખાનો પૂરતો સ્ટોક છે, તેથી જ સરકારને કલ્યાણકારી યોજનાઓ દ્વારા ચોખા આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સમગ્ર વિશ્વમાં ચોખાના વેપારમાં ભારતનો હિસ્સો લગભગ 40 ટકા છે. જો ભારત સરકાર ચોખાની નિકાસ પર લગાવેલા નિયંત્રણો પાછા ખેંચી લે તો તેનાથી વિશ્વભરમાં ચોખાના ભાવ નીચે લાવવામાં મદદ મળશે. ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

સપ્ટેમ્બર 2022માં સરકારે સફેદ અને બ્રાઉન ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ લગાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ચોખાની નિકાસ કરવું મોંઘુ થઈ ગયુ હતું. આ સાથે સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. દેશની 60 ટકા ચોખાની નિકાસને આ નિર્ણયથી અસર થઈ છે. ચોખાના એક્સપોર્ટ એસોસિએશન સરકારને એક્સપોર્ટ લિમિટ નાબૂદ કરવાની માંગ કરવા જઈ રહ્યું છે. સાથે જ એસોસિએશન ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી દૂર કરવાની વિનંતી કરવા જઈ રહી છે. આ સાથે 10 લાખ ટન તૂટેલા ચોખાની નિકાસ કરવાની પરવાનગી પણ માંગશે.

તો સરકાર ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે 2 મિલિયન ચોખા તેના રિઝર્વમાંથી વેચવાનું વિચારી રહી છે. તેને ફિક્સડ પ્રાઈઝ પર મિલોને વેચવામાં આવશે. હકીકતમાં, સરકારે બિન-બાસમતી ચોખાની કેટલીક વેરાયટીના નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ટેક્સ લગાવી દીધો હતો. આ સાથે ચોખાની નિકાસ પર ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર, 2022થી આ નિર્ણય અમલમાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.