આ દેશની ભારતીય બોર્ડર પર મસ્જિદ-મદરેસાની સંખ્યા ઝડપથી વધી રહી છે: રિપોર્ટ

સુરક્ષા એજન્સીઓના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ભારત- નેપાળ બોર્ડર બની રહેલા મદરેસા અને મસ્જિદોની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ના એક રિપોર્ટ પરથી વાત સામે આવી છે કે ભારત-નેપાળ બોર્ડર પર મદરેસા અને મસ્જિદોની સંખ્યા 1688 થઇ ગઇ છે,જેમાં 946 મસ્જિદ અને 623 મદરેસા છે. સાથે જ 10 મદરેસા અને મસ્જિદનું નિર્માણકામ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં ભારત-નેપાળ બોર્ડર પર મદરેસા અને મસ્જિદોની કુલ સંખ્યા 1349 હતી, જેમાં 738 મસ્જિદ અને 501 મદરેસા હતી.

રિપોર્ટ અનુસાર ભારત-નેપાળ સરહદને અડીને આવેલા નેપાળી વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં મદરેસા અને મસ્જિદોનું નિર્માણ થઈ રહ્યું છે. વર્ષ 2021માં જ્યાં કુલ 334 મદરેસા અને મસ્જિદો વિશે માહિતી મળી હતી, ત્યાં વર્ષ 2018માં આ સંખ્યા 311 હતી. જ્યાં વર્ષ 2018માં નેપાળી વિસ્તારમાં કુલ 3 નવી મદરેસા અને મસ્જિદોના નિર્માણની માહિતી મળી હતી. માત્ર બે વર્ષમાં નિર્માણાધીન મદરેસા અને મસ્જિદોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.

નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ પરના ભારતીય ગામોમાં પણ મુસ્લિમ વસ્તીમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, બહરાઈચ, શ્રાવસ્તી અને પીલીભીત જેવા જિલ્લાઓમાં, સરહદી ગામોમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે. એક રિપોર્ટ અનુસાર મહારાજગંજમાં બોર્ડર પાસે આવેલા કુલ 302 ગામોમાંથી 66 ગામો એવા છે કે જેની મુસ્લિમ વસ્તી છેલ્લા કેટલાક વર્ષોમાં 30 થી 50 ટકા વધી ગઈ છે અને ઘણા ગામો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા ગામો બની ગયા છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓના કહેવા મુજબ કેટલાંક મહિનાઓમાં ભારત- નેપાળ બોર્ડર આતંકવાદીઓનું આશ્રય સ્થાન બની ગયું છે. આ વિસ્તાર જિહાદી ગતિવિધીઓનો અડ્ડો બની રહ્યું છે અને તેમને પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, કતર જેવા દેશોમાંથી મોટું ફડીંગ મળી રહ્યું છે. સુત્રોના કહેવા મુજબ એ ફંડમાંથી મસ્જિદ-મદરેસાના નિર્માણ થઇ રહ્યા છે. ભારત-નેપાળ બોર્ડર ખુલ્લી હોવાને કારણે  આતંકવાદીઓ ફાયદો ઉઠાવી શકે એ વાતની સુરક્ષા એજન્સીઓને ચિંતા છે.

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી DGP/IGP કોન્ફરન્સ દરમિયાન પણ ભારત-નેપાળ સરહદ પર જેહાદી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી પાકિસ્તાનમાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની એજન્સી ISI બ્લેક માર્કેટમાંથી હથિયારો ખરીદીને આ આતંકવાદીઓને અમેરિકન હથિયારો સપ્લાય કરી રહી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે કાળાબજારમાંથી હથિયારો મંગાવવામાં આવે છે. જો કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા ગંભીર હોઈ શકે છે. આ જ કારણ છે કે આસપાસના વિસ્તારોમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.