ભારત અને પાકિસ્તાનમાં પરમાણુ યુદ્ધને કારણે થશે 200 કરોડ લોકોના મોતઃ સ્ટડી

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો 2 અબજથી વધુ લોકોના મોત થઈ શકે છે. રટગર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય છે તો બે વર્ષમાં જ વિશ્વની ત્રણ-ચતુર્થાંશ વસ્તીનો નાશ થઈ શકે છે. આનો અર્થ એ છે કે 5 અબજથી વધુ લોકો જીવ ગુમાવી શકે છે. એટલું જ નહીં, સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આ બંને મહાશક્તિઓ વચ્ચે નાના પાયા પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે તો પણ લોકો મોટા પાયે ભૂખમરાનો શિકાર બની શકે છે.

એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન જેવા દેશો પણ પરમાણુ યુદ્ધમાં ઉતરે છે, તો વિશ્વમાં અનાજના સપ્લાય પર પણ ખરાબ અસર પડશે. આ સિવાય લગભગ 2 અબજ લોકોના જીવ પણ જઈ શકે છે. આ અભ્યાસમાં સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે જો પરમાણુ યુદ્ધ થાય તો કેટલો કાટમાળ ભેગો થશે. આ સિવાય અમેરિકા, રશિયા, ભારત અને પાકિસ્તાન જેવા દેશો પર શું અસર થશે.

એટલું જ નહીં, અનાજના પુરવઠા અને ઉત્પાદન પર શું અસર થશે. આનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં વૈશ્વિક સ્તરે અનાજ, માંસ, માછલી વગેરેની સપ્લાયમાં 90 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

આનાથી મોટી સંખ્યામાં ભૂખમરો પણ ફેલાઈ શકે છે. નેચર ફૂડ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ પૂર્ણ ક્ષમતાથી થશે તો વિશ્વની અડધાથી વધુ વસ્તીના મોત થઈ શકે છે. આ અભ્યાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે શીતયુદ્ધના 30 વર્ષ પૂર્ણ થયા છે અને વિશ્વ એક કરતા વધુ વખત ગહન તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ છે તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે પણ વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ઘણીવાર તણાવ રહે છે. આટલું જ નહીં ચીનના વિસ્તારવાદી વલણને કારણે ભારત, જાપાન સહિત અનેક પાડોશી દેશો સાથે તેનો તણાવ યથાવત છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.