ભારતનો બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 8.3% થયો, જે 16 મહિનામાં સૌથી વધુ: રિપોર્ટ

દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં બેરોજગારીનો દર ફરી એકવાર વધીને 8.3 ટકા થયો છે. જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં આ આંકડો 8 ટકા હતો. ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો છે.

એક અહેવાલમાં, CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસને ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, 'આંકડાઓમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.'

વ્યાસના મતે છેલ્લા કેટલાક મહિનામાં વધી રહેલી બેરોજગારી ચિંતાનો વિષય છે. ખેતીમાં કામ કરતા મજૂરો બદલાતા રહે છે તે હકીકત દ્વારા આને યોગ્ય ઠેરવી શકાય નહીં. ભારતમાં રવિ પાકની લણણીની મોસમ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ અત્યાર સુધી સારી રહી છે. આ વર્ષે રવી પાકનો લગભગ 91% પાક લેવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા બે વર્ષથી આ આંકડો માત્ર 88%ની આસપાસ હતો.

નવીનતમ ટીમલીઝ રિપોર્ટ દર્શાવે છે કે ભારત જાન્યુઆરીથી માર્ચ સુધીના ચોથા ક્વાર્ટરમાં નોકરીની તકોનું સર્જન કરવાનું ચાલુ રાખશે. ખાસ કરીને સર્વિસ સેક્ટરની 77% કંપનીઓ નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે.

2024ની ચૂંટણી પહેલા PM મોદી સામે સૌથી મોટો પડકાર ઉંચી મોંઘવારી રોકવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો રહેશે. કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને 'વિભાજનકારી રાજનીતિ' જેવા મુદ્દાઓ પર 'ભારત જોડો' યાત્રા કાઢી રહી છે. આ મુદ્દાઓ પર જનતાને એક કરવાના ઉદ્દેશ્ય સાથે, આ યાત્રા સપ્ટેમ્બર મહિનામાં કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી, જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 7.6 ટકાની સરખામણીએ ઘટીને 7.2 ટકા પર આવી ગયો છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા થયો હતો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.