ઊંઘથી થતા અકસ્માત અટકાવી શકાશે! આર્મીએ શોધી નાખ્યો ઉકેલ, પેટેન્ટ પણ લીધું

ઇન્ડિયન આર્મીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) બેઝ્ડ એક એવી ડિવાઇસ વિકસિત કરી છે, જે અકસ્માત રોકવામાં મદદ કરશે. ભારતીય સેનાને આ ડિવાઇસ ડેવલપ કરવા માટે પેટેન્ટ સર્ટિફિકેટ પણ મળી ગયું છે. AI બેઝ્ડ આ ડિવાઇસ રોડ દુર્ઘટનાઓ અગાઉ એક એલાર્મ વગાડીને વાહન ચાલકને સચેત કરશે. ખાસ કરીને ત્યારે જ્યારે વાહન ચાલકને ઊંઘ આવી રહી હોય. સેનાનું કહેવું છે કે, તેનાથી અકસ્માત પર લગામ લગાવવામાં મદદ મળશે.

ભારતીય સેનાના અધિકારી કર્નલ કુલદીપ યાદવે આ ઉપકરણ વિકસિત કર્યું છે અને તેના પેટેન્ટ માટે તેમણે વર્ષ 2021માં જ અરજી કરી હતી, જેને હવે સર્ટિફાઈ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે, તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) બેઝ્ડ એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમનું પેટન્ટ મળી ગયું છે. સેનાએ એક ટ્વીટમાં કહ્યું કે, આ એક્સિડન્ટ પ્રિવેન્શન ડિવાઇસને સેનાના રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) કમ્પોનેન્ટ દ્વારા સ્વદેશી રૂપે વિકસિત કરવામાં આવી છે. પેટેન્ટ સર્ટિફિકેટ કહે છે કે તે ફેબ્રુઆરી 2021ના રોજ દાખલ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ?

આ ડિવાઇસ એક્સિડન્ટ પ્રિવેન્શન તરીકે તૈયાર કરવામાં આવી છે. જે ડ્રાઈવરની ગતિવિધિઓ પર નજર રાખશે અને જો તેને ઝોકું આવે છે તો તેજ બર્જર વગાડશે. જેથી ઊંઘના કારણે થનારી દુર્ઘટનાઓ પર લગામ લગાવવામાં મદદ મળશે. આ ડિવાઇસને કોઈ પણ વાહનમાં સરળતાથી લગાવી શકાય છે. વાહનના ડેશબોર્ડ પર લાગેલું સેન્સર યુક્ત ઉપકરણ ડ્રાઈવરની આંખો પર નજર રાખે છે અને ઝોકું આવવા પર તેને સચેત કરે છે.

ભારતીય સેનાના એક અધિકારીએ મીડિયાને આપેલા એક નિવેદનાં કહ્યું છે કે, આ ડિવાઇસનું ટેસ્ટિંગ પર્વત, રણ અને હાઇવે પર અલગ-અલગ પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું છે અને તે પૂરી રીતે સફળ રહ્યું છે. હવે પરીક્ષણ કર્યા બાદ ભારતીય સેના બધા વાહનોમાં આ સિસ્ટમને ફિટ કરવામાં આવી રહી છે. પેટેન્ટ પ્રાપ્ત કરવા અગાઉ, AI બેઝ્ડ એક્સિડન્ટ પ્રિવેન્શન ડિવાઇસનું પરીક્ષણ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત 2 રાજ્યોના પરિવહન નિગામોની બસોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ ટ્રકોમાં પણ કરી શકાય છે. કર્નલ કુલદીપ યાદવના મનમાં એવી ડિવાઇસ વિકસિત કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેઓ મણિપુરમાં એક સૈન્ય યુનિટની કમાન સંભાળી રહ્યા હતા. પર્વતોમાં વાહન ચલાવતી વખત ચાલક થાકી જાય છે અને ઊંઘી જાય છે, જેથી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2021માં દેશમાં રોડ અકસ્માતમાં લગભગ 1.54 લાખ લોકોના મોત થઈ ગયા હતા. એક રિપોર્ટ મુજબ, 57 ટકા કરતા વધુ ટ્રક દુર્ઘટનાઓ ડ્રાઇવરોના ઊંઘી જવાના કારણે થાય છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.