સુદાનથી આવેલા ભારતીયોએ સંભળાવી રૂંવાટા ઊભા કરી દેનારી આપવીતિ

સંકટગ્રસ્ત સુદાનથી નીકળ્યા બાદ સાઉદી અબરથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા હરિયાણાના સુખવિંદર સિંહે રાહતના શ્વાસ લેતા કહ્યું કે, સુદાનમાં એમ લાગી રહ્યું હતું માનો કે અમે મરણપથારી પર હતા. વ્યવસાયે એન્જિનિયર સુખવિંદર (ઉંમર 40 વર્ષ) એ 360 ભારતીય નાગરિકોના પહેલા જથ્થામાં સામેલ હતા, જે ભારતના ‘ઓપરેશન કાવેરી’ રેસ્ક્યૂ મિશન હેઠળ બુધવારે રાત્રે સ્વદેશ ફર્યા. હરિયાણાના ફરિદાબાદના રહેવાસી સુખવિંદરે પોતાના સુદાનમાં પોતાના અનુભવોને યાદ કરતા કહ્યું કે, તે અત્યારે પણ ડરેલો છે.

તેણે કહ્યું કે, અમે એક વિસ્તાર સુધી સીમિત હતા. એ એવું હતું, માનો અમે મરણપથારીએ હોઈએ. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાનાઆ રેસ્ક્યૂ અભિયાન હઠળ ઓછામાં ઓછા 670 નાગરિકોને બહાર કાઢ્યા છે. ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી એક ફેક્ટ્રીના કર્મચારી છોટુએ કહ્યું કે, પહોંચતા જ બૂમ પાડતા કહ્યું, મરીને પાછો આવી ગયો. હવે ક્યારેય સુદાન નહીં જાઉ. હું પોતાના દેશમાં કંઈ પણ કરી લઇશ, પરંતુ પાછો નહીં જાઉ. વિદેશ મંત્રી એસ. જયશંકારે સુદાનથી પરત આવેલા ભારતીયોની કેટલીક તસવીરો શેર કરી છે.

તેમણે લખ્યું કે, ‘ભારત પોતિકાઓનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ પહેલી ઉડાણ નવી દિલ્હી પહોંચી અને 360 ભારતીય નાગરિક પોતાના વતનમાં ઉતર્યા. પંજાબથી હોશિયારપુરના રહેવાસી તસમેર સિંહ (ઉંમર 60 વર્ષ)એ સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા. તેણે કહ્યું કે, અમે એક શબની જેમ હતા. એક નાનકડા ઘરમાં વીજળી વિના, પાણી વિના રહેતા હતા. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે જીવનમાં આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે, પરંતુ ભગવાનનો આભાર કે અમે જીવતા છીએ.

સુદાનમાં છેલ્લા 12 દિવસથી દેશની સેના અને એક અર્ધસૈનિક બળ (રેપિડ સપોર્ટ ફોર્સિસ) વચ્ચે ઘાતક ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં કથિત રીતે 400 કરતા વધુ લોકો મોત થઈ ગયા છે. સુદાનની સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ઊંડી વાતચીત કર્યા બાદ 72 કલાકના યુદ્ધવિરામ પર સહમતી બનવાને ધ્યાનમાં લઈને  ભારતમાં સુદાનથી ભારતીયોને કાઢવાના પ્રયાસ તેજ કર્યા. ‘ઓપરેશ કાવેરી’ હેઠળ ભારત શરણાર્થીઓને સાઉદી અરબના જેદ્દા શહેર થઇ દેશ પાછા લાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન વિમાન કંપની ‘ઇન્ડિગો’એ કહ્યું કે તેણે ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દા માટે ચાર્ટર ઉડાણ સેવાની રજૂઆત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે અત્યારે પણ ઉડાણ સેવા શરૂ કરવા માટે મંત્રાલયની જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ, અત્યાર સુધી વસ્તુની પુષ્ટિ થઈ નથી. ઘણા રાજ્યોએ હેલ્પ ડેસ્ક ખોલ્યા છે અને દેશમાં આવ્યા બાદ સુદાનથી કાઢવામાં આવેલા ભારતીયો માટે મફત મુસાફરી અને આવાસ જેવી સહાયતની જાહેરાત કરી છે.     

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.