શાકભાજી વેચનારાના ઘરે ITની નોટિસ, 'ખાતામાં 172 કરોડ ક્યાંથી આવ્યા', થયો ફરાર

માણસ પૈસા કમાવવા માટે આખો દિવસ મહેનત કરે છે જેથી તે પોતાની કમાણીથી એ પોતાના અને પરિવારના સપનાઓને પૂરા કરી શકે. બદમાશ અને લુચ્ચા લોકો પૈસા કમાવવા માટે વિવિધ પ્રકારના આડા અવળા ધંધાઓ કરે છે, સીધા રસ્તે ચાલનારા અને કાયદાથી ડરીને ચાલનારા સજ્જન માણસો આવું કરતા નથી. પરંતુ જો અચાનક આવું થઇ ગયું અને તમારા ખાતામાં એટલા પૈસા આવી જાય કે તમે અબજોપતિ બની જાઓ તો? તમને આ વાત સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે અને આવું એક શાકભાજી વેચનાર સાથે થયું અને તે થોડા જ સમયમાં 172 કરોડનો માલિક બની ગયો!

શાકભાજી વેચનારના બેંક ખાતામાં 172.81 કરોડ રૂપિયા આવ્યા. આવકવેરા વિભાગની સૂચનાથી તેને આ અંગેની જાણ થઈ. હાલ પોલીસ અને સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ શાકભાજી વિક્રેતા ગભરાઈને ઘરને તાળું મારીને ક્યાંક ચાલ્યો ગયો છે.

લગભગ છ મહિના પહેલા, મગરરાવ પટ્ટીના રહેવાસી વિનોદ રસ્તોગીને આવકવેરા વિભાગ, વારાણસી તરફથી નોટિસ મળી હતી. નોટિસ અનુસાર, તેમના યુનિયન બેંક ખાતામાં 172.81 કરોડ રૂપિયા છે અને તેનો ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.

ગભરાયેલો વિનોદ આવકવેરા વિભાગની ઓફિસે પહોંચ્યો અને પોતાના ખાતાની વિગતો આપી. પછી તેને ખબર પડી કે તેના નામે બીજું એકાઉન્ટ ચાલી રહ્યું છે, જેની તેને જાણ નહોતી. તેણે કહ્યું કે આ પૈસા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને કોઈએ ખાતું ખોલાવ્યું છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી કે, તેઓ તપાસ બાદ હકીકત સુધી પહોંચશે. 26 ફેબ્રુઆરીના રોજ જિલ્લાના આવકવેરા વિભાગ તરફથી આ જ પૈસા માટે ફરી એકવાર નોટિસ મોકલવામાં આવી છે. આ વખતે પૂછવામાં આવ્યું છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તેનો સ્ત્રોત શું છે?

નોટિસ લઈને તે 4 માર્ચે ગહમર પોલીસ સ્ટેશન ગયો અને ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ પવન કુમાર ઉપાધ્યાયને આખી વાત જણાવી. ત્યાંથી તેને સાયબર સેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તેને યોગ્ય પ્રમાણપત્ર લાવવા માટેનું કહેવામાં આવ્યું, જેથી તપાસ પૂર્ણ થઈ શકે.

અહીં વિનોદ રસ્તોગીએ કહ્યું કે, તેઓ આટલી મોટી હેરાફેરી સમજી શકતા નથી. તે કહે છે કે તેની કમાણી માત્ર એટલી છે કે તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલીથી ચલાવી શકે છે. વિનોદ રસ્તોગી થાકીને પોતાના ગામ ચાલ્યો ગયો છે. વિનોદ હાલમાં પટનાની કોઈક નઝર સંસ્થાનમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.