'બે વર્ષ પહેલા જ કહ્યું હતું કે...',પંજાબના અમૃતસરમાં હંગામા પર કંગનાની FB પોસ્ટ

બોલિવૂડ ક્વીન કંગના રનૌત ઘણીવાર ગંભીર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. જ્યારે, હવે કંગના રનૌતે પંજાબની ઘટનાને લઈને ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ બિન-ખાલિસ્તાની શીખોને પણ મોટી સલાહ પણ આપી છે.

પંજાબમાં સ્થિતિ સતત બગડી રહી છે. પંજાબના અમૃતસરમાં ગુરુવારે અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી અજનલા પોલીસ સ્ટેશનને 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ કબજે કરી લીધું હતું. પંજાબની બેકાબૂ સ્થિતિએ દેશભરના લોકોના દિલ હચમચાવી દીધા છે. કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના દિલની વાત કરી છે.

પંજાબની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રાખતા કંગનાએ લખ્યું, 'પંજાબમાં જે પણ થઈ રહ્યું છે, મેં બે વર્ષ પહેલા જ આગાહી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. પંજાબમાં મારી કાર પર હુમલો થયો, પણ એ જ થયું ને જે મેં કહ્યું હતું? પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે બિન-ખાલિસ્તાની શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.'

બે વર્ષ પહેલા કંગના રનૌતે કિસાન બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની કહ્યા હતા. કંગનાની આ પોસ્ટને લઈને દરેક જગ્યાએ ઘણો વિવાદ થયો હતો. ત્યાં સુધી કે, તેની સામે અનેક શહેરોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી. આ સમગ્ર વિવાદ બાદ જ્યારે કંગના પંજાબ પહોંચી ત્યારે તેની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી.

આ ઘટના વિશે વાત કરતાં કંગના રનૌતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પંજાબમાં પ્રવેશતા જ તેની કારને ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ જ્યારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો ત્યારે કંગનાને બે વર્ષ પહેલા કહેલી વાત યાદ આવી ગઈ.

પંજાબના અજનાલામાં થયેલા હંગામા બાદ પંજાબ પોલીસ પર ખાલિસ્તાનના સમર્થકો પ્રત્યે નરમ વલણ અપનાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, પંજાબ DGPનું કહેવું છે કે, તથ્યોની ચકાસણી કર્યા બાદ પોલીસ તેના આધારે આગળની કાર્યવાહી કરશે. પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોને છોડશે નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.