બેંગ્લોરમાં નહીં બને કોઈ વ્યક્તિનો પડછાયો, જાણો કેમ થશે આ રસપ્રદ ઘટન

સૌરમંડળમાં મોટા ભાગે કંઈક ને કંઈક ચોંકાવનારી ઘટનાઓ થતી રહે છે. એવી જ એક અનોખી ઘટના 25 એપ્રિલના રોજ બંગ્લોરમાં થવાની છે. આ દિવસે બેંગ્લોરમાં થોડી ક્ષણ માટે પડછાયો પૂરી રીતે ગાયબ થઈ જશે. સાંભળવામાં ભલે તે હેરાન કરનારી વાત લાગે, પરંતુ એમ થવું નક્કી છે. આ ઘટના બપોરે સવા બાર (12:15) વાગ્યે થશે. તેને ઝીરો શેડો ડેનું નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ પોતાના કેમ્પસમાં આ અવસર પર એક ખાસ કાર્યક્રમ આયોજિત કરી રહી છે.તેને લઈને બેંગ્લોરના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ ઇવેન્ટની તૈયાર કરતા તસવીરો ટ્વીટ કરી રહ્યા છે.

શું છે ઝીરો શેડો ડે?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, બપોરે સૂરજ કોઈ પણ ઓબ્જેક્ટનો પડછાયો નહીં બનાવે. એ સમયે તે એકદમ ચરમ સ્થિતિમાં હશે અને તેના કારણે આ ઘટના થશે. એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ આગળ કહ્યું કે, ઝીરો શેડો ડે ઉષ્ણકાંતિબંધીય (કર્ક રેખા અને મકર રેખા વચ્ચે)માં સ્થળો માટે વર્ષમાં 2 વખત થાય છે. આ ક્ષેત્રોમાં રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને દરમિયાન અક્ષાંશ બાબર હશે.

આખરે કેમ થાય છે એવું?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, પૃથ્વીની ધૂર્ણન ધુરી સૂરજની ચારેય તરફ પરિક્રમા માટે 23.5 ડિગ્રી પર ઝૂકી છે. તેના કારણે જ અલગ-અલગ હવામાન આવે છે. તેનો અર્થ એ છે કે સૂરજ, દિવસના પોતાના ઉચ્ચ બિંદુ પર, ખગોળીય ભૂમધ્ય રેખાના 23.5 ડિગ્રી દક્ષિણમાં ભૂમધ્ય રેખા (ઉત્તરાયણ)ના 23.5 ડિગ્રી ઉત્તરમાં અને એક વર્ષમાં ફરીથી દક્ષિણાયન તરફ વધશે. આ રોટેશનના કરણે ઝીરો શેડો ડે ઉત્તર અને દક્ષિણાયન દરમિયાન થાય છે. એવામાં 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ 2 વખત તેમના અક્ષાંશ બરાબર હશે.

કેટલા સમય માટે હશે ઝીરો શેડો ડે?

આમ તો આ રોચક અને અનોખી ઘટના સેકન્ડના થોડા હિસ્સા માટે હશે, પરંતુ તેનો પ્રભાવ લગભગ એક દોઢ મિનિટ સુધી રહેશે. આ અગાઉ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં વર્ષ 2021માં ઝીરો શેડો ડે અનુભવાઈ ચૂક્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.