જેલમાં મોકલવું સહેલું છે, બાળકોને ભણાવવાનું બહુ અઘરું છે: મનીષ સિસોદિયાનો લેટર

એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે BJP પર લોકોને જેલમાં ધકેલી દેવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, 'BJP લોકોને જેલમાં ધકેલી દેવાની રાજનીતિ કરી રહી છે. અમે બાળકોને ભણાવવાની રાજનીતિ કરી રહ્યા છીએ. જેલમાં મોકલવું સહેલું છે, બાળકોને શિક્ષિત કરવા ખૂબ જ મુશ્કેલ છે. દેશ શિક્ષણથી આગળ વધશે, કોઈને જેલમાં મોકલીને નહિ.'

મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, 'દિલ્હીના શિક્ષણ મંત્રી તરીકે કામ કરતી વખતે ઘણી વખત મનમાં આ સવાલ ઉઠતો રહ્યો કે, દેશ અને રાજ્યોની સત્તા સુધી પહોંચેલા નેતાઓએ દેશના દરેક બાળકો માટે શા માટે શ્રેષ્ઠ શાળા-કોલેજની વ્યવસ્થા ન કરી? એક સમયે જો આખા દેશમાં, આખું રાજકારણ તન, મન અને ધનથી શિક્ષણના કામમાં લાગી ગયું હોત તો, આજે આપણા દેશના દરેક બાળક માટે વિકસિત દેશો જેવી શ્રેષ્ઠ શાળાઓ હોતે, અને તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું હોત. તો પછી રાજનીતિએ શિક્ષણને કેમ એક ખૂણામાં ધકેલી દીધું?

આજે જ્યારે હું થોડા દિવસથી જેલમાં છું ત્યારે મને આ પ્રશ્નોના જવાબો જાતે મળી રહ્યા છે. હું જોઈ શકું છું કે રાજકારણમાં જયારે સફળતા જેલ ચલાવીને મળે છે, તો પછી શાળા ચલાવવા માટે કોઈને રાજકારણની જરૂર કેમ લાગે છે.'

તેમણે લખ્યું છે કે, 'દેશના દરેક બાળક માટે એક અદ્ભુત શાળા-કોલેજ ખોલવા અને ચલાવવા કરતાં સરકાર વિરુદ્ધ ઊઠેલા દરેક અવાજને જેલમાં મોકલીને અથવા જેલમાં મોકલવાની ધમકી આપીને સરકાર ચલાવવી વધુ સરળ છે. UPના શાસકોને જ્યારે એક લોક ગાયકનું લોક ગીત તેમની વિરુદ્ધ લાગ્યું, ત્યારે તેમને પોલીસની નોટિસ મોકલવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવી હતી.

CM અરવિંદ કેજરીવાલનો ગુનો એટલો મોટો છે કે, આજે તેમણે PM મોદીની રાજનીતિ માટે એક વૈકલ્પિક રાજનીતિ ઉભી કરી દીધી, જેના કારણે CM કેજરીવાલ સરકારના બે મંત્રીઓ આજે જેલમાં છે. ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જેલની રાજનીતિ સત્તામાં બેઠેલા નેતાને મોટા અને વધુ શક્તિશાળી બનાવી રહી છે. શિક્ષણની રાજનીતિની સાથે સમસ્યા એ છે કે, તે દેશને મોટો બનાવે છે, નેતા નહીં.'

પત્રના અંતમાં સિસોદિયાએ લખ્યું છે કે, 'આજે જેલની રાજનીતિ જરૂર સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભારતનું ભવિષ્ય શાળાઓના રાજકારણમાં છે, શિક્ષણના રાજકારણમાં સમાયેલું છે. ભારત વિશ્વના નેતા બનશે તેની તાકાતના કારણે, નહીં કે તેની જેલમાં કેટલી તાકાત છે, પરંતુ તેના જોરે કે અહીંના શિક્ષણમાં એટલી તાકાત છે કે, આજના રાજકારણમાં જેલની રાજનીતિનો મોટો હાથ ભલે હોય, પરંતુ આવનારી આવતીકાલ શિક્ષણની રાજનીતિની હશે.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.