જૈન પ્રાણી પ્રેમીએ કુરબાનીના બકરા ખરીદી એવું કર્યું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

બાગપતના એક પ્રાણીપ્રેમીએ બે વર્ષ પહેલા બલિદાન માટે આવેલા સેંકડો બકરાઓ ખરીદીને પોતાના પ્લોટમાં વસવાટ કરાવ્યો હતો. તેનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રાણીપ્રેમીઓ જૈન સમુદાયના હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જૈન સમુદાય હંમેશાથી પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

જીવો પર દયા કરો, જીવો અને જીવવા દો… ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશમાં જીવો પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રત્યે દયા બતાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમનામાં માનનારાઓ અનુસરે છે. હવે તેમના અનુયાયીઓ એ એક એવી પહેલ કરી છે જેને જાણીને તમે પણ તેમના માટે આદર અનુભવશો.

 

મેરઠના જૈન સમુદાયમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક વ્યક્તિ બલિદાન માટે આવેલા બકરા (કુરબાનીના બકરા) ખરીદી રહ્યો છે અને તેમને તેના ટીનશેડમાં આશ્રય આપી રહ્યો છે. આ વીડિયો બાગપતના અમીનનગર સરાયનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, જૈન સમાજના એક વ્યક્તિએ બલિદાન માટે આવેલા બકરાને ખરીદીને ન ફક્ત તેમને જીવનનું દાન કર્યું, પરંતુ તેમના માટે આશ્રય સ્થાન પણ બનાવી દીધું. આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મેરઠના થોકબંધ વેપારી અનિલ જૈને જણાવ્યું કે, અમીનનગર સરાયના રહેવાસી જૈન સમુદાયના એક વ્યક્તિએ બે વર્ષ પહેલા બજારમાં બલિદાન માટે આવેલા તમામ બકરા ખરીદી લીધા હતા. આ પછી, તે બકરાઓને તેના એક પ્લોટ પર ટીન શેડમાં રાખવામાં આવ્યા હતા. પહેલા તો કોઈને કંઈ સમજણમાં આવ્યું નહિ, ત્યાર પછી ખબર પડી કે, તેણે ખરીદેલા બકરાને બલિદાનથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

જ્યારે અમીનનગર સરાય ખાતે આ વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે તેનું નામ જાહેર કર્યું ન હતું. તેઓ કહે છે કે, હું મારી મરજીથી આ કામ કરી રહ્યો છું. આમ પણ કોઈપણ રીતે જૈન સમાજ હંમેશા પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

અનિલ જૈને જણાવ્યું કે, જ્યારે અમે બધાએ તેમને આ કામમાં મદદ કરવાની ઓફર કરી તો તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સાથે ઉભા રહો, બસ એટલું જ પૂરતું છે. તમામ બકરાઓના રહેવા અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે એક કર્મચારીને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે, જેથી તે બકરાઓને સમયસર ખોરાક અને પાણી આપી શકે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.