જૈન તીર્થ બચાવવા મૂનિના પ્રાણ ત્યાગ, 10 દિવસથી ઉપવાસ પર બેઠા હતા

છેલ્લાં લગભગ પંદરેક દિવસથી સમેત શિખર અને શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે દેશભરના જૈન સમાજના લોકો જબરદસ્ત લડત આપી રહ્યા છે એ દરમિયાન પવિત્ર તીર્થને બચાવવા માટે છેલ્લાં 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા જૈન મૂનિનું મંગળવારે જયપુરમાં નિધન થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. જૈન સંતો અને અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ઝારખંડમાં જૈન તીર્થસ્થળ સમેત શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર 72 વર્ષના હતા.

ઝારખંડ સરકારના નિર્ણય બાદ સુજ્ઞેયસાગર 25મી ડિસેમ્બરથી સાંગાનેરમાં ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું કે, મુનિશ્રીએ સમેત શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે. તેઓ તેની સાથે જોડાયેલા હતા. જૈન સાધુ સુનિલ સાગરે કહ્યું કે સમેત શિખર અમારું ગૌરવ છે. આજે સાંજે 6 વાગ્યે મુનિ સુજ્ઞેય સાગર મહારાજનું નિધન થયું. જ્યારે તેમને ખબર પડી કે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર તેમણે પોતાની જાતને ધર્મને સમર્પિત કરી દીધી છે. હવે મુનિ સમર્થ સાગરે પણ અન્નકૂટની આહુતિ આપીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.

મુનિ સુજ્ઞેય સાગરનો જન્મ જોધપુરના ભિલાડામાં થયો હતો, પરંતુ તેમનું કાર્યસ્થળ મુંબઈમાં અંધેરી હતું. તેમણે ગિરનારમાં આચાર્ય સુનિલ સાગર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. બાંસવાડામાં મુનિ દીક્ષા અને સમેત શિખરમાં ક્ષુલક દીક્ષા લીધી. શરૂઆતથી ઋષિએ વ્રત રાખ્યું અને અંતે તીર્થને બચાવવા ઉપવાસ રાખ્યા. સંતનું ઘરેલું નામ નેમિરાજ હતું.

દરમિયાન જયપુરમાં જૈન સાધુ આચાર્ય શંશાકે જણાવ્યું હતું કે, જૈન સમુદાય હાલમાં સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માટે અહિંસક રીતે આંદોલન કરી રહ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.