BJP સાંસદ કહે- મણિપુર હિંસા માટે જવાહરલાલ નેહરુ જવાબદાર છે

સંસદમાં મણિપુર હિંસાને લઇ સતત હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માગી રહ્યા છે. તો મોદી સરકારના મંત્રી અને ભાજપા સાંસદો પણ વિપક્ષને જવાબ આપી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને મણિપુર હિંસા માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. સ્મૃતિ ઈરાની પછી વધુ એક ભાજપા સાંસદે રાહુલ ગાંધીને મણિપુર હિંસાથી જોડીને એક નિવેદન આપ્યું છે. આ ભાજપા સાસંદે મણિપુર હિંસાનો ઠીકડો પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ પર ફોડી દીધો.

નેહરૂને લીધે આવી સ્થિતિ સર્જાઈ- ભાજપા સાંસદ

ભાજપા સાંસદ જગન્નાથ સરકારે કહ્યું કે, મને નથી ખબર કે રાહુલ ગાંધીને રાજકીય ઈતિહાસને લઇ કેટલી જાણકારી છે. તે હંમેશા ખોટી નિવેદનબાજી કરે છે. આ ચર્ચા સંસદમાં થઇ જાય તો કોંગ્રેસ સામે આખું જનમત તૈયાર થઇ જશે. 1960માં મણિપુર માટે જવાહરલાલ નેહરૂ એક કાયદો લઇને આવ્યા. જેને લીધે આ સ્થિતિ સર્જાઇ છે.

ભાજપા સાંસદે કહ્યું, કોંગ્રેસ સંસદમાં ચર્ચા કરવા માગતી નથી. તે માત્ર પ્રધાનમંત્રી મોદી પર સવાલ ઊભા કરવા માગે છે. તેમણે પહેલા ચર્ચા કરવી જોઇએ અને પછી પ્રધાનમંત્રી તેમના સવાલોના જવાબ આપશે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવેલા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર મણિપુર હિંસાને લઇ મૌન રહેતા ઘણાં સવાલો ઊભા થયા હતા. પણ મણિપુર હિંસામાં મહિલાઓને લઇ વીડિયો સામે આવ્યા પછી કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી હતી. જોકે ત્યાર પછી પણ વિપક્ષ સતત ઈરાની પર સવાલ સાધી રહ્યા હતા. આ બધાની વચ્ચે સંસદમાં સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધીએ એ જણાવવું જોઇએ કે મણિપુરમાં કઈ રીતે તેમણે આગ લગાવી. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ સામે થનારા ગુનાઓનો પણ ઉલ્લેખ કર્યો. ઈરાનીએ કહ્યું કે મહિલા નેતાઓએ રાજસ્થાન, છત્તીસગઢ અને બિહારમાં થનારા ગુનાઓ વિશે પણ બોલવું જોઇએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.