મહેંદી, હલ્દી પછી જયમાલા... MBA પાસ છોકરીએ 'ભગવાન શંકર' સાથે લગ્ન કર્યા!

મધ્યપ્રદેશના દતિયામાં એક છોકરીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. MBA પાસ યુવતીના લગ્ન બ્રહ્માકુમારી આશ્રમમાં થયા. નિકિતા નામની છોકરીના લગ્ન કોઈ મનુષ્ય સાથે નહિ પરંતુ ભગવાન શંકર સાથે થયા હતા. બ્રહ્માકુમારી આશ્રમમાં લગ્નની વિધિઓ બાદ લગ્નની વાડીમાં રાત્રે વરમાળા પહેરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જોરદાર નાચવાનો અને ગાવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં, MBA પાસ નિકિતા ચૌરસિયાએ દુલ્હનના વેશમાં સજ્જ થઈને કોઈ મનુષ્ય સાથે નહીં પરંતુ  ભગવાન શંકર સાથે લગ્ન કર્યા છે. બ્રહ્માકુમારી આશ્રમમાં હળદર-મહેંદીની વિધિ થઈ હતી. મંગળ ગીતો ગાવામાં આવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ બાદ નિકિતાએ લગ્નની વાડીમાં ભગવાન શંકરને વારમાળા પહેરાવી, અને સાત ફેરા લઈને ભગવાન શંકરને પોતાના પતિ માની લીધા હતા.

નિકિતા કહે છે કે, આજ કાલ દુનિયાનો દરેક મનુષ્ય દુઃખી છે, એટલા માટે અમે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને ભગવાન શિવને પોતાના પતિ માનીને હું મારું જીવન તેમના માટે અર્પિત કરી રહી છું. નિકિતાએ કહ્યું કે, જ્યારે અમે ભગવાન શિવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમારા પરિવાર અને મિત્રોએ પણ અમારા આ નિર્ણયને યોગ્ય ઠેરવીને અમને ટેકો આપ્યો હતો.

નિકિતાના સંબંધીઓનું કહેવું છે કે, આપણે હંમેશા ભગવાનની પૂજા આરતી કરીએ છીએ, પરંતુ એ વ્યક્તિ કે જે હંમેશને માટે ભગવાનના થઇ જાય છે, તે કંઈ અનોખા જ હોય છે, નિકિતા તેમાંની એક છે કે જેણે આવી હિમ્મત કરી છે. નિકિતાના ભગવાન શંકર સાથે લગ્ન કરવા પર સમાજના લોકોની પ્રતિક્રિયા યોગ્ય નથી, પરંતુ જે લોકો સારા કામ કરે છે તેમનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. પરંતુ અમે નિકિતાના આ સાહસી પગલાંની સરાહના કરીએ છીએ. નિકિતાના લગ્ન કરાવનાર બ્રહ્માકુમારી આશ્રમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ભગવાન સાથે એક થવાનો એક રસ્તો છે, અમને આનાથી ખૂબ જ ખુશી થઇ રહી છે.

સાંસારિક જીવનનો ત્યાગ કરવો એ બહુ અઘરું કામ છે અને પરંપરાના પ્રવાહની વિરુદ્ધ જઈને અને સમાજની પરવા ન કરીને મીરાબાઈની જેમ ભગવાનને પોતાના પતિ તરીકે સ્વીકારવા એ પણ સૌથી વધુ અઘરું છે, પરંતુ નિકિતાએ MBAનું શિક્ષણ મેળવ્યા પછી પણ આ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.