શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું નિધન, કોરોનાને કારણે 8 મહિના હોસ્પિટલમાં રહેલા

ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું લાંબી બીમારીના કારણે ગુરુવારે નિધન થઈ ગયું છે. હાલમાં જ જગરનાથ મહતોને સ્વાસ્થ્યમાં સતત વધી રહેલી પરેશનીના કારણે રાંચીથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. તો સારવાર દરમિયાન શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ છેલ્લા શ્વાસ લીધા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સિવાય ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને ભાજપ સહિત ઝારખંડના પક્ષ-વિપક્ષની તમામ પાર્ટીઓએ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરતા કહ્યું કે, ‘અપૂરણીય ક્ષતિ! આપણાં ટાઈગર જગરનાથ દા નથી રહ્યા! આજે ઝારખંડે પોતાના એક મહાન આંદોલનકારી, ઝૂઝારું, કર્મઠ અને જનપ્રિય નેતા ગુમાવી દીધા. ચેન્નાઈમાં સારવાર દરમિયાન આદરણીય જગરનાથ મહતોજીનું નિધન થઈ ગયું. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરીને શોકમગ્ન પરિવારને દુઃખની આ મુશ્કેલ પળમાં સહન કરવાની શક્તિ આપે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન 14 માર્ચના રોજ અચાનક ફરીથી તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક રાંચીની પારસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

લાંબા સમયથી બીમાર ચાલી રહેલા શિક્ષણ મંત્રી જગરનાથ મહતોને ત્યારબાદ સારી સારવાર માટે મુખ્યમંત્રી હેમંત સોરેનની સલાહ પર રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. જગરનાથ મહતો કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન પણ લાંબા સમય સુધી બીમાર રહ્યા હતા.

ફેફસામાં સંક્રમણ ફેલાવાના કારણે તેમને ત્યારે પણ ચેન્નાઈની MGM હૉસ્પિટલમાં લગભગ 8 મહિના સુધી સારવાર કરાવવી પડી હતી. શિક્ષણ મંત્રી જગરનાથ મહતોના નિધન બાદ ઝારખંડના કેબિનેટમાં તેમના સહયોગી સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે, આજે આપણે એક પોતાના વાલી, ઝારખંડના એક આંદોલનકારી અને રાજ્ય જનતાએ એક લોકપ્રિય નેતા ગુમાવી દીધા.

તેમણે એક વાલીના રૂપમાં હંમેશાં મારું માર્ગદર્શન કર્યું. કોરોના કાળમાં તેમના કર્યા કુશળતાએ અમને બધાને પ્રોત્સાહિત કર્યા. પોતે કોરોના પોઝિટિવ હોવા છતા તેમણે હાર ન માની અને લડાઈ લડતા રહ્યા. આજે ભલે તેઓ મોત સામે હારી ગયા, પરંતુ ટાઈગર હંમેશાં જીવિત હતો અને પોતાના કર્મોથી જીવિત રહેશે. ઝારખંડ રાજ્ય આંદોલનમાં મહતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તે રાજ્યની સેવા માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા. જગરનાથ મહતો ડુમરી વિધાનસભા સીટ પરથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.