બુલેટ પ્રૂફ કારમાં બેસીને ભારત જોડો યાત્રા ન થઈ શકે: રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરવી તેમના માટે શક્ય નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ BJPને પોતાનો ગુરુ ગણાવ્યો અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું. આ સાથે તેમણે સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ, BSP સુપ્રીમો માયાવતી અને 'મોહબ્બત કા હિન્દુસ્તાન'ના તમામ સમર્થકોને તેમની પદયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં ખામી સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'સરકાર ઈચ્છે છે કે, હું બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરું. મારા માટે આ શક્ય નથી.'

વાસ્તવમાં, કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલે અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, શનિવારે દિલ્હીની ભારત જોડો યાત્રાના પ્રવેશદ્વાર પર સુરક્ષામાં ઘણી ખામીઓ હતી. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

બીજી તરફ, પોલીસે કહ્યું કે, તેમની તરફથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ કોંગ્રેસના સાંસદે પોતે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓએ સાદા કપડામાં ઘણા પોલીસકર્મીઓને પણ તૈનાત કર્યા હતા અને રાહુલ ગાંધી માટે સુરક્ષાનો ઘેરો ગોઠવી દીધો હતો. પોલીસનો આરોપ છે કે, કોંગ્રેસ નેતા પોતે સુરક્ષાના ઘેરાને તોડતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ શનિવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'ભારત જોડો યાત્રાના દરવાજા બધા માટે ખુલ્લા છે. તેમણે કહ્યું, 'અમે કોઈને અમારી સાથે જોડાતા રોકીશું નહીં. અખિલેશ જી, માયાવતી જી, જે લોકો 'મોહબ્બત કા હિન્દુસ્તાન' ઈચ્છે છે અથવા અમારી વિચારધારામાં જોડાવા ઈચ્છે છે તેમનું સ્વાગત છે.'

કોંગ્રેસના નેતા દીપક સિંહે ગુરુવારે અમેઠીના BJP સાંસદ સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને તેમને ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આ આમંત્રણ ઈરાનીના સેક્રેટરી નરેશ શર્માને ગૌરીગંજ સ્થિત તેમના કેમ્પ ઓફિસમાં સોંપવામાં આવ્યું છે.

આ આમંત્રણ અંગે જ્યારે BJPના જિલ્લા અધ્યક્ષ દુર્ગેશ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમેઠીના સાંસદ કે અન્ય પાર્ટીના કાર્યકર્તાના યાત્રામાં ભાગ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું કે, 'BJP હંમેશા અખંડ ભારતના કોન્સેપ્ટ પર કામ કરે છે. ભારત ક્યારેય તૂટ્યું નથી, તો તેમાં જોડાવાની વાત ક્યાંથી આવી?'

મધ્યપ્રદેશની ચૂંટણી પર બોલતા, રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તેઓ લેખિતમાં આપી શકે છે કે કોંગ્રેસ રાજ્યની ચૂંટણી જીતશે.' કોંગ્રેસના સાંસદે કહ્યું, 'BJP ક્યાંય દેખાશે નહીં. હું તમને આની ખાતરી આપી શકું છું. MPમાં દરેક વ્યક્તિ જાણે છે કે BJPએ પૈસાથી પોતાની સરકાર બનાવી છે.'

તેમણે કહ્યું, 'હું જમીની સ્તરેથી જે સાંભળી રહ્યો છું, જો વિપક્ષ અસરકારક અભિગમ સાથે ઊભો રહેશે તો BJP માટે ચૂંટણી જીતવી ખૂબ મુશ્કેલ હશે. પરંતુ આ માટે વિપક્ષે યોગ્ય સંકલન કરવું પડશે અને વિપક્ષે વૈકલ્પિક અભિગમ સાથે લોકોની વચ્ચે જવું પડશે.'

ભારત જોડો યાત્રા પર BJP દ્વારા કોંગ્રેસ પર પ્રહારો પર તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે તેઓ અમારા પર આક્રમક હુમલો કરે. તેનાથી કોંગ્રેસ પાર્ટીને તેની વિચારધારા સમજવામાં મદદ મળશે. હું તેમને (BJP)ને મારા ગુરુ માનું છું. તેઓ મને રસ્તો બતાવી રહ્યા છે અને મને શું ન કરવું તેનું કોચિંગ આપી રહ્યા છે.'

ઉત્તર ભારતની કડકડતી ઠંડીમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર T-શર્ટ પર ચાલતા સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું, 'T-શર્ટને લઈને આટલો બધો હંગામો કેમ થાય છે? હું સ્વેટર નથી પહેરતો કારણ કે મને ઠંડીનો ડર નથી. હું વિચારી રહ્યો છું કે એકવાર મને ઠંડી લાગવા લાગે તો હું સ્વેટર પહેરી લઈશ.'

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.