મેઘાલયમાં કોની સરકાર બનશે, CMએ અમિત શાહને ફોન કરીને આ માગ કરી

પૂર્વોતરના 3 રાજ્યોની વિધાનસભા 2023ની ચૂંટણીમાં ભાજપે બે રાજ્યો પર કબ્જો જમાવી લીધો છે જયારે ત્રીજા એક રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાના સંજોગો ઉભા થયા છે, કારણ કે આ રાજ્યમાં એક પણ પાર્ટીને બહુમત મળી શક્યો નથી. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ સરકાર બનાવશે જયારે મેઘાલયમાં ત્રિશંકુ સ્થિતિ ઉભી થવાને કારણે મુખ્યમંત્રી કોનરાડ સંગમાંએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફોન કરીને મેઘાલયમાં ગઠબંધનમાં  સરકાર બનાવવા સમર્થન માંગ્યું છે. મેઘાલયમાં અપક્ષોએ બધી પાર્ટીના ખેલ બગાડી નાંખ્યા છે. ભાજપના દિલ્હી હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે અને થોડીવારમાં PM મોદી પણ હેડક્વાર્ટર પહોંચવાના છે. 

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ત્રિપુરા-નાગાલેન્ડમાં BJP ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. બંને રાજ્યોમાં બહુમતી હાંસલ કરવામાં આવી છે. મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા છે જેમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી.

મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાને કારણે CM સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. સરકાર બનાવવા માટે તેમની તરફથી સમર્થન માંગવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની જીત પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે ત્રિપુરાનો હૃદયપૂર્વક આભાર. આ સ્થિરતા અને વિકાસ માટેનો મત છે. ભાજપ ત્રિપુરામાં વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે. મને તમામ કાર્યકરો પર ગર્વ છે.

પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા 2023ની ચૂંટણીનું મતદાન થયું હતું, જેના પરિણામાં 2 માર્ચ, ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરૂ થયા હતા. ત્રિપુરામાં વિધાનસભા 2023ની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું જ્યારે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન કરવામાં આવ્યું હતું. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ત્રણેય રાજ્યોમાં  દરેક રાજ્યની વિધાનસભા સીટ 60 છે. મતલબ કે દરેક પાર્ટી રાજ્યોની 60-60 બેઠકો અંકે કરવા માટે ચૂંટણી લડી  હતી.

ત્રિપુરામાં કારમી હાર બાદ CPIMના નેતા એમવી ગોવિંદને કહ્યું છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન સાચો નિર્ણય હતો. કોંગ્રેસ એકલા હાથે ભાજપ સામે લડી શકે તેમ નહોતી. છેલ્લી વિધાનસભામાં પણ કોંગ્રેસનો વોટ શેર ઓછો હતો, પરંતુ આ ડીલ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ભાજપ સામે મોરચો તૈયાર કરવામાં આવે.

પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ પાતળી છે. ત્રિપુરા, નાગાલેન્ડ કે મેઘાલયમાં કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. પૂર્વોત્તર રાજ્યોના પરિણામ પછી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દર વખતે કોંગ્રેસ એવો આરોપ લગાવતી રહી છે કે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં હોવાને કારણે કોંગ્રેસને નુકશાન થાય છે, પરંતુ પૂર્વોતરની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તો હાજરી જ નહોતી, છતા કોંગ્રેસ હારી ગઇ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.