ભારત જોડો યાત્રાનો ફાયદો રાહુલ ગાંધી કરતા વધારે કન્હૈયા કુમારને થઇ રહ્યો છે

ભારત જોડો યાત્રાએ હાલ વિરામ લીધો છે. કોંગ્રેસનો દાવો છે કે, ભારત જોડો યાત્રામાં તેને વિભિન્ન રાજ્યોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. રાહુલ ગાંધી પોતાની તસવીરો અને ઠંડીમાં ફક્ત ટી શર્ટ પહેરવાને લઇને ચર્ચાનો વિષય પણ બન્યા છે.

પણ જોવા જઇએ તો ભારત જોડો યાત્રામાં ખરો ફાયદો જો કોઇને થયો છે તો તે છે કન્હૈયા કુમાર. ક્યારેક JNUમાં પોતાના ભારત વિરોધી નારા માટે ચર્ચામાં આવેલા કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જોડાયા બાદ આ સૌથી મોટી ઇવેન્ટ સાબિત થઇ રહી છે.

રાહુલ ગાંધીની સાથે ફરી રહેલા કન્હૈયા કુમારે પણ રાહુલ ગાંધી જેવી જ વૈશભૂષા બનાવી છે. કન્હૈયા દાઢી પણ રાહુલના અંદાજમાં વધેલી નજરે પડી રહી છે. જ્યારે, યાત્રા દરમિયાન વિભિન્ન પ્રેસ કોન્ફરન્સમાં કન્હૈયા કોંગ્રેસના તમામ મોટા નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા.

ક્યારેક તેઓ અશોક ગેહલોતની સાથે નજરે પડે છે તો ક્યારેક જયરામ રમેશ ની સાથે મંચ શેર કરે છે. ફરીદાબાદમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કન્હૈયા કુમાર જયરામ રમેશ અને હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે નજરે પડ્યા હતા. ફક્ત આટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ટિપ્પણી પણ કરે છે.

એ પણ રસપ્રદ વાત છે કે, એક અરસાથી કોંગ્રેસ પાસે કોઇ ઉભરતો ચહેરો નથી. કોંગ્રેસનું નામ સામે આવે તો જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ જેવા અમુક નામો છે, જે હવે ઉંમરનો એક પડાવ પાર કરી ચૂક્યા છે.

યુવા નેતાઓની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. જ્યારે, સચિન પાયલટની ભૂમિકા રાજસ્થાન અને તેની આસપાસના પ્રદેશો સુધી સીમિત રહી ગઇ છે. હિંદી ભાષી ક્ષેત્રમાં કોંગ્રેસ પાસે કોઇ એવો યુવા નેતા નથી, જે મજબૂતી સાથે પોતાની વાત મૂકી શકે. કન્હૈયા કુમાર એ ભૂમિકામાં પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

કન્હૈયા કુમારની છબિ આક્રામક અંદાજ વાળા યુવા નેતાની રહી છે. કન્હૈયા કુમારે કોંગ્રેસમાં આવ્યા બાદ પણ પોતાનો આ અંદાજ બદલવાની કોશિશ નથી કરી. વિભિન્ન મંચો પર તેમણે ભાજપના પ્રવક્તાને આક્રામક અંદાજમાં જવાબ આપવાની કોશિશ કરી છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા સાથેની ડિબેટ પણ ચર્ચિત છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે કોંગ્રેસ તેમની આ છબિને આગળ કરી રહી છે. જાણકારો અનુસાર, ભાજપના દમદાર પ્રવક્તાની સામે કોંગ્રેસ પણ એ અદાજ વાળા પ્રવક્તા ઉભા કરવા માગે છે. સંભવતઃ કન્હૈયા કુમારને પ્રમોટ કરવા પાછળનું આ કારણ હોઇ શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.