કાંઝાવાલા કેસમાં 'મોટી કબૂલાત', આરોપીએ કહ્યું એ રહસ્ય જેની સૌ રાહ જોઈ રહ્યા હતા

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, કાંઝાવાલા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે, તેઓ જાણતા હતા કે અંજલી તેમની કાર નીચે ફસાઈ ગઈ છે, પરંતુ તેઓ ડરના કારણે ગાડી રસ્તા પર ચલાવતા રહ્યા. આ દરમિયાન કાંઝાવાલા સુધીના રૂટ પર તેમણે ઘણી વખત ગાડી યુ ટર્ન લીધી હતી. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, તેમને ડર હતો કે જો યુવતીને ગાડીની નીચેથી બહાર કાઢીશું તો હત્યાનો કેસ લાગી જશે અને તેઓ વધુ ખરાબ રીતે ફસાઈ જશે.

અંજલિ કેસમાં આરોપીની 'કબૂલાત'

અંજલિ કેસમાં પકડાયેલા આરોપીઓએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, આ કારણોસર જ અકસ્માત થયા બાદ આરોપીઓએ યુવતીને કારની નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ નહીં કર્યો હતો. આરોપીઓ ખૂબ જ ડરી ગયા હતા અને આ કારણોસર તેઓ વારંવાર ગાડીને ફેરવી રહ્યા હતા.

તેજ મ્યુઝિકની કહાની હતી ખોટી

આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું કે, તેમને કઈં સમજ નહીં પડી રહી હતી કે તેઓ ક્યાં જાય જ્યાં સુધી કે યુવતી તેમની કારની નીચેથી નીકળી નહીં જાય. તેમણે પહેલા પોલીસને જે તેજ મ્યુઝિક સિસ્ટમની કહાની કહી હતી તે ખોટી હતી.

ગાડી લઈને કેમ ભાગ્યા આરોપી?

આરોપીઓએ પોલીસને જણાવ્યું કે ડરના કારણે તેઓ ગાડી લઈને ભાગી ગયા હતા. પરંતુ થોડે દૂર ગયા બાદ તેઓને લાગ્યું કે યુવતી કારની નીચે જ ફસાઈ ગઈ છે, જેથી તેઓએ યુવતીને કારમાંથી બહાર કાઢવા માટે 4 વખત યુ ટર્ન લીધો હતો. વચ્ચે-વચ્ચે ગાડીને ખૂબ જ ઝડપથી પણ ભગાવી.

13 કિલોમીટરના વિસ્તારમાં ફેરવતા રહ્યા ગાડી

આરોપીઓ જાણતા હતા કે, હરિયાણા તરફ જવાથી હરિયાણા પોલીસના બેરિકેડ હોય છે અને ચેકિંગ થઈ શકે છે. આથી 13 કિલોમીટરના રસ્તામાં પોલીસ ચેકિંગ નહીં હોવાના કારણે આરોપી કંજાવાલા રોડ પર જ ગાડીને વારંવાર યુ ટર્ન લઈને ફેરવતા રહ્યા હતા. લગભગ 2 કલાક સુધી ગાડી 13 કિલો મીટરના વિસ્તારમાં જ 40થી 50 કિલોમીટર સુધી ચલાવી. આ દરમિયાન આરોપીઓ આશુતોષ સાથે સતત ફોન પર વાત કરી રહ્યા હતા, જેના ઘરે બાદમાં તેઓએ ગાડી મૂકી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.