બજરંગ દળ પર બેનના વાયદાથી કોંગ્રેસને નુકસાન કે ફાયદો? સરવેમાં લોકોએ ચોંકાવ્યા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ બજરંગ દળ પર કાર્યવાહી કરશે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જય બજરંગબલીના નારા લગાવતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે, તે બજરંગબલીના ભક્તોને તાળાંમાં બંધ કરવાનો પ્રયાસ છે. આ દરમિયાન ABP ન્યૂઝ માટે C વૉટરે સરવે કર્યું કે બજરંગ દળ પર બેન લગાવવાના કોંગ્રેસના વાયદાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો? તેના પર 37 ટકા લોકોએ ફાયદો થવાની વાત કહી છે. તો 44 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે, તો બીજી તરફ 19 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે કશું કહી નહીં શકાય.

બજરંગ દળ પર બેનનો વાયદા કરવાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો?

ફાયદો: 37 ટકા

નુકસાન: 44 ટકા

ખબર નહીં: 19 ટકા

શું છે મામલો?

કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે, ‘કોઈ વ્યક્તિ કે બજરંગ દળ, PFI અને નફરત તેમજ શત્રુતા ફેલાવતા બીજા સંગઠન, ભલે તે બહુમતીઓ વચ્ચે હોય કે લઘુમતીઓ વચ્ચેના હોય, તેઓ કાયદા અને સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરી શકે. અમે એવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિતની નિર્ણાયક કાર્યવાહી કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (3 મેના રોજ) કર્ણાટકમાં પોતાની ત્રણેય જનસભાઓ દરમિયાન ‘જય બજરંગબલી’ના નારા લગાવ્યા. તેનાથી એક દિવસ અગાઉ એટલે કે 2 મે, મંગળવારના રોજ વિજયનગર જિલ્લાના હોસપેટેમાં કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસે શું કહ્યું?

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે કહ્યું કે, સરકાર આવવા પર રાજ્યમાં હનુમાન મંદિર બનાવીશું. કર્ણાટકમાં એક જ ચરણમાં ચૂંટણી અને તેનું પરિણામ 13 મેના રોજ આવશે. ઉલ્લેખનીય છે કે, ABP ન્યૂઝ માટે C વૉટરે સરવેમાં 8 હજાર 272 લોકો સાથે વાત કરી હતી. સરવે ગુરુવારે આખો દિવસ કરવામાં આવ્યો હતો. આ સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.