BJP અધ્યક્ષના આ નિવેદનને લઇને ઓવૈસી બોલ્યા- જોઉ છું તમે શું કરશો

ભારતીય જનતા પાર્ટી (BJP) કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે બુધવારે ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલું એક નિવેદન આપ્યું હતું. નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, ટીપૂ સુલ્તાનના બધા અનુયાયીઓને અહીં રહેવાનો હક નથી. તેમને ભગાવીને જંગલોમાં મોકલી દેવા જોઈએ. તેના પર હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલ પર પલટવાર કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું ટીપૂ સુલ્તાનનું નામ લઈ રહ્યો છું, જોઉ છું તમે શું કરો છો.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલના નિવેદનને લઈને કહ્યું હતું કે, શું કર્ણાટક ભાજપ અધ્યક્ષ નલીનકુમાર કતીલે જે કહ્યું તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહમત છે? તે હિંસા, હત્યા અને નરસંહારની ખુલ્લી જાહેરાત છે. શું કર્ણાટકમાં ભાજપ સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે? અસદુદ્દીન ઓવૈસીએ તેને નફરત ફેલાવનારું નિવેદન કહી દીધું છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશ સરકાર પણ પ્રહાર કર્યો હતા.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ કારનારાઓએ માતા-પુત્રીનો જીવ લઈ લીધો. તેઓ બુલડોઝરથી સરકાર ચલાવવા માંગે છે, સંવિધાનથી નહીં. આ બધુ કરવાથી તેમને રાજનૈતિક રૂપ કંઈ હાંસલ થવાનું નથી. તેઓ તેલંગાણા (વિધાનસભાની ચૂંટણી 2023)માં નિષ્ફળ રહેશે. કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ. અમે ટીપૂ સુલ્તાનના વંશજ નથી, અમે તેમને વંશજોને પાછા મોકલી દીધા.

તેમણે કહ્યું હતું કે, હું યેલ્બુર્ગોના લોકોને પૂછું છું કે, શું તમે હનુમાનની પૂજા કરો છો કે ટીપૂ સુલ્તાનના ભજન ગાઓ છો? શું તમે ટીપૂ સુલ્તાનના ભજન ગાનારા લોકોને ભગાવશો? તો વિચારો કે આ રાજ્યમાં ટીપૂ સુલ્તાનના વંશજ જોઈએ છે કે ભગવાન રામ અને હનુમાનના ભક્તો. હું હનુમાનની ભૂમિ પર પડકાર આપું છું કે ટીપૂ સુલ્તાનને પ્રેમ કરનારા અહીં ન રહે, જે લોકો ભગવાન રામના ભજન ગાય છે અને ભગવાન હનુમાનને માને છે તેમને અહીં રહેવાનો અધિકાર છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.