કેદારનાથ: પહાડ પરથી પથ્થરો પડ્યા, સુરતની યુવતી ખીણમાં પડી ગઇ, મોત

કેદારનાથની યાત્રાએ ગયેલી સુરતની 20 વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ યુવતી ચાલત ચાલતા જઇ રહી ત્યારે અચાનક ટેકરી પરથી પત્થરો પડવાના શરૂ થયા, જેને કારણે  યુવતી સીધી ખીણમાં પડી ગઇ હતી, બચવાનો કોઇ મોકો યુવતીને મળ્યો નહોતો.

કેદારનાથ પદયાત્રી માર્ગ પર દુ:ખદ અકસ્માત થયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવક ઘાયલ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 4.20 કલાકે કેદારનાથ પદયાત્રી માર્ગના છેડી ગડેરા પાસે પહાડ પરથી એક પત્થર પડતા યુવતી રસ્તાથી 50 મીટર નીચે ઊંડી ખાઈમાં પડી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ યુવતી સુરતની છે અને તેની ઉંમર 20 વર્ષની છે. બિહારના એક 24 વર્ષના યુવાનને ઇજા થઇ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી નજીક એક ટેકરી પરથી પત્થર પડ્યો જે સીધો 20 વર્ષની યુવતીને ભટકાયો હતો, જેના મારથી યુવતી સીધી ખીણમાં પડી જતા મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને રેસ્ક્યુ ટીમ દ્વારા સારવાર માટે સોનપ્રયાગમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ પ્રવાસમાં પત્થર અથડાવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ સોનપ્રયાગ એક્રો બ્રિજ પાસે બે ઘટના બની છે.

જાણવા મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે પદયાત્રી માર્ગ પર  પહાડી વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની ગયો છે. બુધવારે મોડી સાંજે ગુજરાતના સુરત શહેરની રહેવાસી 20 વર્ષની અક્ષિતા શૈલીનું ખીણમાં પડી જવાને કારણે મોત થયું છે અને 24 વર્ષીય બિહારના શિવાસ નામના યુવાનને ઇજા થઇ છે. સિવાસ અન્ય લોકોની સાથે કેદારનાથ જવા માટે ગૌરીકુંડથી નીકળ્યા હતા, જેવા છેરી ગડેરા પાસે પહોંચ્યા ત્યારે ઉપરની ટેકરી પરથી એક પછી એક ઘણા પત્થરો પડવા લાગ્યા, જેના કારણે શૈલી અક્ષિતા રસ્તાથી 50 મીટર નીચે ખાડામાં પડી ગઈ હતી.

અક્ષિતા એટલી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી કે તેણીનું રેસ્ક્યુ થાય તે પહેલાં જ મોતને ભેટી હતી.શિવાસને પણ ગંભીર ઇજા થઇ છે, પરંતુ  SDRF, પોલીસ અને DDRFએ તેને ગૌરી કુંડ પહોંચાડ્યો હતો. શિવાસની પ્રાથમિક સારવાર બાદ તેને સોનપ્રયાગની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

તંત્રએ પદયાત્રા માર્ગ પર ચાલતો લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.