કેજરીવાલનું PM પર નિશાન, કહ્યું, ઇંદિરા ગાંધીની જેમ વધારે કરો છો, ઉપરવાલો ઝાડુ..

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં મોટી બબાલ  શરૂ થઈ ગઇ  છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરીને કહ્યું છે કે, PM ઈંદિરા ગાંધીની જેમ મર્યાદાથી વધારે આત્યંતિક પગલાં લઇ રહ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે,મેં હજારો લોકો સાથે વાત કરી, જનતામાં ભારે રોષ છે. જનતા કહી રહી છે કે ભાજપના લોકો શું કરી રહ્યા છે. તેઓ મરજી આવે તેમને જેલમાં ધકેલી દે છે. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે, જ્યારથી તેઓ પંજાબ જીતી ગયા છે, એ વાત તેઓ સહન કરી શકતા નથી, આમ આદમી પાર્ટી  આંધી છે અને હવે અટકવાની નથી. કેજરીવાલે કહ્યુ કે,આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે. અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશું. એક સમયે ઇંદિરા ગાંધીએ મર્યાદા બહાર પગલાં લીધા હતા હવે વડાપ્રધાન કરી રહ્યા છે. ઉપરવાળો ઝાડુ ફેરવશે.

કેજરીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દેશને આ બે મંત્રીઓ પર ગર્વ છે. આ બંને મંત્રીઓએ દેશનું નામ રોશન કર્યું છે. સત્યેન્દ્ર જૈને વિશ્વને સ્વાસ્થ્યનું નવું મોડેલ આપ્યું. મનીષ સિસોદિયાએ સરકારી શાળાઓનો કાયાકલ્પ કરીને સૌને ચોંકાવી દીધા હતા.આખી દુનિયાને શિક્ષણનું મોડેલ આપ્યું, જેમણે પોતાનું નામ રોશન કર્યું, વડાપ્રધાને બંનેને જેલમાં ધકેલી દીધા. લિકર પોલિસી માત્ર એક બહાનું છે, બધું જ નકલી છે. PM ઈચ્છે છે કે સારું કામ બંધ થઈ જાય, અમે જે કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી. જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ એક પણ શાળા સુધારી શક્યા નથી. તેમણે હોસ્પિટલ ઠીક કરી નથી, તેથી જ તેઓ કેજરીવાલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે તેમની સરકારે શિક્ષણ અને આરોગ્યની દિશામાં શ્રેષ્ઠ કામ કર્યું છે, તેથી જ આ બંને મંત્રાલયના મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સંયોગ ન હોઈ શકે, સીધું કામ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આ પહેલીવાર નથી કે જ્યારે PM મોદી કે ભાજપ અરવિંદ કેજરીવાલના નિશાના પર આવ્યા હોય.

દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતુ જ રહેતું હોય છે. થોડા દિવસો પહેલા સુધી મેયરની ચૂંટણી અને પછી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને ભારે હોબાળો થયો હતો, હવે સિસોદિયાની ધરપકડથી વિવાદ વધુ વકર્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.