કેજરીવાલના ઘરના 45 કરોડ, BJPના આરોપ પર AAPએ PM મોદીના કયા ખર્ચા યાદ અપાવ્યા

કેજરીવાલના ઘર પર બબાલ શરૂ થઇ છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે પ્રહારો કરી રહ્યા છે. ભાજપે કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ઘર 45 કરોડ રૂપિયાનું છે તો આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીએ કરેલા ખર્ચાનો હિસાબ આપી દીધો હતો. કોંગ્રેસે પણ આ બબાલમાં ઝંપલાવ્યું છે અને  અરવિંદ કેજરીવાલના શપથ વખતની યાદ અપાવી દીધી છે.

અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનમાં 45 કરોડ રૂપિયાના ખર્ચને વિપક્ષ ભાજપે મુદ્દો બનાવ્યો છે. BJPએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 'શીશમહલના રાજા' ગણાવ્યા છે. સાથે તેમના રાજીનામાની માંગણી કરી છે. અહીં AAPએ પણ જવાબ આપ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ઘર 80 વર્ષ જૂનું છે. તેના ઘણા રૂમની છત પડી ગઈ છે. સમારકામ જરૂરી છે. પાર્ટીએ PM મોદીના ઘર અને તેના રિનોવેશનનો ઉલ્લેખ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે એ ઘર જીર્ણ- શીર્ણ અવસ્થામાં હતું. ત્યાં ગંભીર ઘટનાઓ બની. એક વખત મુખ્યમંત્રીના માતા-પિતાના રૂમમાં છત પડી હતી. CMના બેડરૂમની અને ઓફીસની છત પણ પડી હતી. એ પછી PWDએ નવા ઘરની ભલામણ કરી હતી. એ ઘર મુખ્યમંત્રીનું નથી. સરકાર દ્રારા ફાળવવામાં આવેલું છે.

આમ આદમી પાર્ટીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રીના ઘરની અંદાજિત કિંમત 467 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ વિસ્ટાની અંદાજિત કિંમત 20,000 કરોડ રૂપિયા છે. ઉપરાંત PMના રેસ કોર્સ વાળા ઘરના રિનોવેશનની અંદાજીત ખર્ચ 27 કરોડથી 3 ગણો વધીને 89 કરોડ કરવામાં આવ્યો હતો. દિલ્હીના LGના ઘર માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે 44.78 કરોડ રૂપિયામાં પોતાના ઘરનું સોંદર્યકરણ કરાવ્યું છે. AAPનું કહેવું છે કે ભાજપ જરૂરી મુદ્દાઓને ભટકાવવા માંગે છે. કોંગ્રેસ નેતા અજય માકને પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું શપથ પત્ર બતાવ્યું, જેમાં કેજરીવાલ કોઇ પણ સરકારી સુવિધા લેશે નહીં તેવો  ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, જ્યારે કેજરીવાલ 2015માં આ ઘરમાં આવ્યા ત્યારે તે લગભગ 1,400 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો સમાવેશ થાય છે. દસ્તાવેજો દર્શાવે છે કે નવીનીકરણ પછી, મકાનમાં વધારાનો માળ છે અને કુલ વિસ્તાર વધીને 1,905 ચો.મી.થયો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.