જૈન મૂનિનું અપહરણ અને હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દેવાયા, 2 પકડાયા

કર્ણાટકમાં એક જૈન મૂનિના અપહરણ અને હત્યાના સમાચારે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. બુધવારથી જૈન મૂનિ ગાયબ હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે બે શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી છે અને તેમણે જૈન મૂનિની હત્યાની કબુલાત કરી લીધી છે, પરંતુ પોલીસને હજુ સુધી જૈન મૂનિની લાશ મળી નથી. આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.

કર્ણાટકના બેલગાવી જિલ્લામાં મૂનિ કામકુમાર નંદી મહારાજની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મૂનિ બુધવારથી ગાયબ હતા અને ગુરુવારે ભક્તોએ પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બેલગાવી જિલ્લાના ચિક્કોડી વિસ્તારની આ ઘટના છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને એકની પુછપરછ કરી તો તેણે કામકુમાર નંદીની હત્યાની કબુલાત કરી લીધી હતી. આરોપીએ કહ્યું કે, જૈન મૂનિનું અપહરણ કરીને તેમની લાશ ફેંકી દેવામાં આવી છે અને અન્ય એક વ્યકિત પણ હત્યામાં સામેલ છે. પોલીસે બંને વ્યકિતની ધરપકડ કરી છે.

મીડિયાન અહેવાલો મુજબ, બેલગાવી જિલ્લામાં આવેલા ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં નંદીપર્વત આશ્રમમાં આચાર્ય કામકુમાર નંદી મહારાજ છેલ્લાં 15વર્ષથી રહેતા હતા. ગુરુવારે આચાર્ય કામકુમાર નંદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગારેએ પોલીસમાં આચાર્યના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આચાર્ય નંદીની લાશ શોધી રહી છે.

પોલીસે કહ્યું કે, આરોપીઓ જૈન મૂનિની હત્યા ક્યાં કરી અને શબને ક્યાં ફેંક્યું? એ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી રહ્યા. એક વાત એ સામે આવી રહી છે કે આરોપીઓઅ જૈન મૂનિનું શબ કટકાબાવી ગામની પાસે ટુકડા કરીને ફેંકી દીધું છે. બીજી તરફ એવી વાત સામે આવે છે કે શબને કપડામાં લપેટીને નદીમાં વહાવી દેવામાં આવ્યું છે. મળેલા ઇનપૂટના આધારે પોલીસે મધરાતે કટકાબાવી ગામમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જૈન મૂનિ કામકુમાર નંદીના મૃતદેહને શોધવાની કવાયત શનિવારે પણ ચાલું રહી છે, પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી.પોલીસે કહ્યું કે, આરોપીઓએ જૈન મૂનિનું આશ્રમમાંથી અપહરણ કર્યું હતું અને હત્યા કરી હતી એ વાત કબુલી લીધી છે. પોલીસ ગામમાં  મોટા પાયે કાફલો ગોઠવી દીધો છે.

જૈન મૂનિની હત્યાને કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે એ વાતને ધ્યાનમાં રાખીને પોલીસે મોટા પાયે બંદોબસ્ત ગોઠવ્યો છે. જૈન મૂનિની હત્યા શું કામ કરવામાં આવી તે વિશે પણ હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.