CM-PMની ધરપકડના શું છે નિયમ, શું CBI સીધી કરી શકે છે અરેસ્ટ?

દિલ્હીના કથિત આબકારી નીતિ કૌભાંડની આંચ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી આવી ગઈ છે. રવિવારે CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી. CBI ઓફિસથી નીકળ્યા બાદ રવિવારે રાત્રે કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે, ‘મને 56 સવાલ પૂછવામાં આવ્યા. મેં બધાના જવાબ આપ્યા. જેમ કે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે અમારી પાસે છુપાવવા માટે કશું જ નથી. આ આખો દારૂ કૌભાંડ નકલી અને બકવાસ રાજનીતિથી પ્રેરિત છે. અમે મરી જઈશું, પરંતુ ઈમાનદારી સાથે સમજૂતી નહીં કરીએ.’

રવિવારે જે સમયે CBI ઓફિસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આશંકા વ્યક્ત કરી કે તેમની ધરપકડ કરી શકાય છે. તેને લઈને પાર્ટીએ મોડી સાંજે મીટિંગ પણ બોલાવી હતો. જો કે, CBIએ પૂછપરછ બાદ કેજરીવાલને પાછા મોકલ્યા. જો કે, આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય છે? આ તો ક્યારે અને કેવી રીતે? કાયદામાં પ્રવધાન શું છે?

મુખ્યમંત્રીની ક્યારે ધરપકડ કરી શકાય છે?

કોડ ઓફ સિવિલ પ્રોસિજરની કલમ 135 હેઠળ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, લોકસભા અને રાજ્યસભાના સભ્ય, મુખ્યમંત્રી, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને ધરપકડથી છૂટ મળી છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં છે, ક્રિમિનલ કેસોમાં નહીં. આ કલમ હેઠળ સંસદ, વિધાનસભા કે વિધાનપરિષદના કોઈ સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં લેવાનું છે, તો સદનના અધ્યક્ષ કે સભાપતિ પાસે મંજૂરી લેવી જરૂરી છે. કલમ એ કહે છે કે, સત્રથી 40 દિવસ અગાઉ, આ દરમિયાન અને તેના 40 દિવસ બાદ સુધી ન તો કોઈ સભ્યની ધરપકડ કરી શકાય છે અને ન તો કસ્ટડીમાં લઈ શકાય છે.

એટલું જ નહીં, સંસદ, વિધાનસભા કે વિધાનસભા પરિસરની અંદરથી પણ કોઈ સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં નહીં લઈ શકાય કેમ કે અધ્યક્ષ કે સભાપતિનો આદેશ ચાલે છે. જો કે, વડાપ્રધાન સંસદના, મુખ્યમંત્રી વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોય છે એટલે તેના પર પણ નિયમ લાગૂ થાય છે. આ છૂટ માત્ર સિવિલ કેસોમાં મળી છે, ક્રિમિનલ કેસોમાં નહીં. એટલે કે ક્રિમિનલ કેસોમાં સંસદના સભ્ય, વિધાનસભાના સભ્ય કે વિધાનપરિષદના સભ્યની ધરપકડ કે કસ્ટડીમાં લઈ શકાય છે, પરંતુ તેની જાણકારી અધ્યક્ષ કે સભાપતિને આપવાની હોય છે.

રાષ્ટ્રપતિ-રાજ્યપાલની ધરપકડ પર શું છે નિયમ?

સંવિધાનના અનુચ્છેદ 361 હેઠળ  રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને છૂટ આપી છે. એ હેઠળ રાષ્ટ્રપતિ કે કોઈ રાજ્યપાલની પદ પર રહેતા ધરપકડ કે કસ્ટડીમાં નહીં લઈ શકાય. કોઈ કોર્ટ તેમની વિરુદ્ધ કોઈ આદેશ પણ જાહેર નહીં કરી શકે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સિવિલ અને ક્રિમિનલ બંને જ કેસોમાં છૂટ મળી છે. જો કે, પદ પરથી હટ્યા બાદ તેમની ધરપકડ કે કસ્ટડીમાં લઈ શકાય છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.