લાલુનું વિચિત્ર નિવેદન-પીએમએ તેમના આવાસમાં પત્ની વિના ન રહેવું જોઇએ !

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા લાલુ પ્રસાદ યાદવે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ સવાલના જવાબ આપતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, ‘જે પણ વડાપ્રધાન બને, તે પત્ની વિનાના ન હોવા જોઈએ. વડાપ્રધાને પત્ની વિના PM આવાસમાં ન રહેવું જોઈએ, એ ખોટું છે.” મહારાષ્ટ્રની રાજનીતિના ઉતાર-ચડાવ બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, રાજનીતિથી ક્યારેય કોઈ રિટાયર થયું નથી, શરદ પવારજી ખૂબ મજબૂત નેતા છે.

લાલુ પ્રસાદ યાદવે મહાગઠબંધનની સંભવિત સીટો બાબતએ કહ્યું કે, વર્ષ 2024માં તેને 300 કરતાં વધુ સીટો મળશે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના દાવેદાર અને રાહુલ ગાંધીને લગ્નની સલાહના સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, ‘વડાપ્રધાન જે પણ હોય, પત્ની વિના ન રહેવું જોઈએ. પ્રધાનમંત્રીના અવાસમાં પત્ની વિના રહેવું ખોટું છે. તેને સમાપ્ત કરવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોડી ભ્રષ્ટાચારીઓના કન્વીનર છે, જએને ભરાષ્ટ્ર કહેતા હતા તેમને મંત્રી બનાવ્યા છે.

વિપક્ષી એકતા બાબતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 17 પાર્ટીઓના નેતા એકજૂથ થઇ રહ્યા છે. ભાજપના નેતા જે કહે છે, તેમને કહેવા દો. તેઓ જઈ રહ્યા છે, તેમનો સફાયો થશે. શરદ પવાર ખૂબ મજબૂત નેતા છે, પરંતુ આ બધુ તેમના ભત્રીજો અજીત પવાર કરી રહ્યા છે. તેમના કહેવાથી કોઈ રિટાયર નહીં થાય, રાજનીતિમાં કોઈ પણ રિટાયર થતું નથી. આ અગાઉ બુધવારે લાલુ પ્રસાદ યાદવે શરદ પવારને લઈને કહ્યું હતું કે, તેમની મહારાષ્ટ્રમાં હેસિયત છે. અજીત પવારની કોઈ અસર નથી. તેમના અલગ થવાથી કંઈ થતું નથી.

અજીત પવારે કાકાને તેમની ઉંમર યાદ અપાવતા કહ્યું હતું કે, હવે તમે 82 વર્ષના થઈ ગયા છો, અંતે ક્યાં જઈને રોકાશો? હું 5 વખત નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યો છું, હવે મુખ્યમંત્રી બનવું છે. મારો દીકરો પણ મજાક કરતા પૂછે છે કે, ‘પિતાજી તમે ક્યાં સુધી નાયબ મુખ્યમંત્રી બનતા રહેશો.’ ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ હાલના દિવસોમાં મેડિકલ ચેકઅપ માટે દિલ્હી ગયા છે. ગત દિવસોમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગમમાં લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, હવે તમે વાત માનો અને લગ્ન કરી લો. તમારા મમ્મી અમને કહે છે કે તમે વાત માનતા જ નથી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.