જુઓ અંદરથી કેવું દેખાશે નવું સંસદ ભવન, એક વખતમાં બેસી શકશે 1200થી વધારે સાંસદો

અંગ્રેજોના જમાનાનું સંસદ ભવન ટૂંક સમયમાં ઈતિહાસમાં નોંધાવવાનું છે. નવા સંસદ ભવનના નિર્માણનું કામ મોટેભાગે પૂરું થઈ ગયું છે. નવું સંસદ ભવન કેવું હશે, તેના ફોટા આવી ગયા છે. આંધ્ર પ્રદેશ BJPએ નવા સંસદ ભવનના કેટલાંક ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. નવા સંસદ ભવનમાં લોકસભા ફ્લોરનું પ્લાન રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર બનાવવામાં આવ્યું છે. નવું ભવન જૂના સંસદ ભવનથી 17000 વર્ગ મીટર મોટું છે.

તેને 64500 વર્ગ મીટર ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે, મળેલી જાણકારી પ્રમાણે, આ કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને 2020માં 861.9 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. જેના પછી  તેનો ખર્ચો આશરે 1200 કરોડ રૂપિયા સુધી વધારી દેવામાં આવ્યો હતો.

 GST દર વધવાના લીધે કિંમતમાં વધારો થયો હતો. નવું સંસદ ભવનનેઆખું બનાવવાની સાથે જ જૂના સંસદ ભવનને મ્યુઝીયમમાં બદલી નાખવામાં આવશે.

આ ભવન પૂર્ણ રીતે ભૂકંપ વિરોધી છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. સંસદના નવા ભવન માટે એક સમયે 1200થી વધુ સાંસદનોની બેસવાની ક્ષમતા છે. તેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકે છે. એક ભવનમાં એક સુંદર સંવિધાન કક્ષનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.  નવી બિલ્ડીંગ 13 એકરમાં બની રહ્યું છે.

આ રાષ્ટ્રપતિ ભવથી થોડેક જ દૂર છે. સેલ્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલા ચાર માળાના નવા સાંસદ ભવનમાં લાઈબ્રેરી, લાઉન્જ, કમિટી હોલ, કેન્ટીન અને પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવી છે. અસલમાં હાલના સંસદ ભવનને 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યું હતું. માર્ચ 2020માં સરકારે સંસદને જણાવ્યું હતું કે જૂની બિલ્ડીંગ ઓવર યુટીલાઈઝ્ડ થઈ ગઈ છે અને ખરાબ થઈ રહી છે.

તેની સાથે જ લોકસભા સીટોનું નવું સીમાંકન કર્યા પછી જે સીટો વધશે, તેના સાંસદોને બેસવા માટે જૂની બિલ્ડીંગમાં પૂરતી જગ્યા ન હતી. આ કારણે નવી બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના નવા સંસદ ભવનની આધારશિલા મૂકી હતી. નવા સંસદ ભવનની નવી બિલ્ડીંગના નિર્માણમાં અત્યાર સુધીમાં 26045 મેટ્રિક ટન સ્ટીલ, 63807 મેટ્રિક ટન સિમેન્ટ અને 9689 ક્યુબીક મીટર ફ્લાઈ એશનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે.

જોકે એક મોટા અધિકારીના કહેવા પ્રમાણે, નવી બિલ્ડીંગમાં હજુ પણ કામ બાકી છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે 12 માર્ચના અવકાશ પછી જ્યારે સંસદની મિટીંગ થાય તો નવું ભવન તૈયાર થઈ જશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.