ચિત્તા મિત્રએ પદ છોડી કહ્યું કુનોમાં સડેલું માંસ ખાવાથી ચિત્તા મરી રહ્યા છે

કુનો નેશનલ પાર્કમાં છેલ્લાં કેટલાંક સમયથી ચિત્તાઓના ચિંતાજનક હદે મોત થઇ રહ્યા છે. હવે પૂર્વ ડાકુએ ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યું છે કે સડેલું માંસ ખાવાને કારણે ચિત્તાઓના કસમયે મોત થઇ રહ્યા છે. પૂર્વ ડાકુએ ચિત્તા મિત્ર તરીકેનું પદ પણ છોડી દીધું છે. તેમણે ડોકટરો અને અધિકારીઓ પર ગંભીર આરોપ મુક્યા છે.

કુનો નેશનલ પાર્કમાં નામિબ્યા અને દક્ષિણ આફ્રીકાના જંગલોમાંથી લાવવામાં આવેલા ચિત્તાઓના અચાનક મોત થઇ રહ્યા છે. ચિત્તાની સુરક્ષા માટે રાખવામાં આવેલા ચિત્તા-મિત્ર અને પૂર્વ ડાકુ રમેશ સિકરવારે આરોપ લગાવ્યો છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ સડેલું માંસ ખાઇ રહ્યા છે જેને કારણે તેમના મોત થઇ રહ્યા છે.

ચિત્તા -મિત્ર રમેશ સિકરવારનું કહેવું છે કે ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં 2 થી 3 દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે, ભૂખને કારણે તેઓ સડેલું માંસ ખાય છે અને બીમાર થઈ જાય છે. ચિત્તાના મૃત્યુનું સાચું કારણ આ છે. એક પછી એક થઈ રહેલા ચિત્તાઓના મોતથી ચિતા મિત્ર દુખી છે, તેથી તે પોતાનું પદ છોડી રહ્યા છે.

રમેશ સિકરવાર ભૂતપૂર્વ ડાકુ છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના રક્ષણ માટે લગભગ 90 ગામના 457 લોકોને ચિત્તા મિત્ર બનાવવામાં આવ્યા હતા. જ્યારે રમેશ સિકરવારનું નામ સામે આવ્યું ત્યારે અચાનક લોકો તેના ભૂતકાળ વિશે વાત કરવા લાગ્યા હતા. તેણે 70 થી વધુ હત્યાઓ કરી હતી. ચિત્તાઓના મોતથી દુખી થઇને રમેશ સિકરવારે ચિતા-મિત્ર તરીકેનું પદ છોડી દીધું છે.

ચિત્તા- મિત્ર રમેશ સિકરવાર કહે છે કે  ચિત્તાને તાજું માંસ મળતું નથી. ચિત્તા મિત્રોને સ્વખર્ચે જંગલમાં બેઠક માટે જવું પડે છે. નાસ્તો કરાવીને, ફોટા લઇને તેમને સમજાવી દેવામાં આવે છે. માહિતી આપવા છતા અધિકારીઓ કોઇ પગલાં લેતા નથી. પાર્કમાં ચિત્તાઓને વાસી માંસ ખવડાવવામાં આવે છે. જો ચિત્તા મિત્રોનું ધ્યાન રાખવામાં આવે તો તેઓ કોઈપણ કિંમતે પાર્કની બહાર જવા દેશે નહીં.

કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાઓના મોત થયા છે. એના માટે અલગ-અલગ  દાવોઓ કરવામાં આવી રહ્યા છે. ચિત્તાઓના મોતનું હજુ સુધી સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ મોટા ભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ચિત્તાઓ ભારતના જંગલમાં સર્વાઇવ થઇ રહ્યા નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.