મંત્રી કહે- દારૂ માણસને મજબૂત બનાવે છે, મજૂરો દારૂ નહીં પીવે તો...

નશાબંધીને લઈને CM ભૂપેશ બઘેલના નિવેદન બાદ છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના આબકારી મંત્રી કવાસી લખમાએ કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ બસ્તરમાં દારૂબંધી નહીં થવા દે. તેમણે દારૂ પીવાની હિમાયત કરી અને કહ્યું કે, તે માણસને બળવાન બનાવે છે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત કરી શકશે નહીં.

કવાસીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, વિદેશમાં 100 ટકા લોકો દારૂ પીવે છે. બસ્તરમાં 90 ટકા પીવે છે, પરંતુ પીવાની સ્ટાઈલ નથી જાણતા. દારૂ પીવાથી માણસ મરતો નથી, તે બળવાન બને છે, પણ વધારે પીવાથી માણસ મરી જાય છે. એટલા માટે દારૂ અને દવા, ક્યાં તો તમે દવા ખાઓ અથવા દારૂ પીવો. તો આ રીતે થોડું પીવાનો અર્થ નહીં રહે. ખેડૂતને, લોખંડ ઉપાડનાર મજૂરને. તમે આટલું મોટું લોખંડ નહિ ઉપાડી શકશો. તેઓ મજૂરી ઉપાડી લેશે, અને સાંજે જઈને દારૂ પી લેશે. તો જ પાછા કાલે કામ કરી શકશે, નહીં તો તે મજદૂર તે કામ કરી શકશે નહીં.'

તેમણે કહ્યું કે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત પણ કરી શકશે નહીં. રમણ સિંહે ક્યારેય કોથળો ઉપાડ્યો છે. તેમને સમસ્યા શું છે? રમણ સિંહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'આ લોકોને અમારા જેવા લોકોની સમસ્યાઓની ખબર નથી. મેં તાડી કાપી છે, તેથી મને ખબર છે કે મારા હાથ અને પગમાં કેટલો દુખાવો થાય છે. CM ભૂપેશ બઘેલની વાતને હું સમર્થન આપું છું. હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે છત્તીસગઢમાં દારૂબંધી થશે, પરંતુ બસ્તરમાં નહીં થાય. જ્યાં સુધી હું જીવિત છું, બસ્તરમાં આવું નહીં થાય. બસ્તરમાં, તમામ દેવી દેવતાઓ, બાળકો દરેકમાં તેની પૂજા થતી હોય છે. તેના વિના અમે પ્રવાસ નથી કરતા, પૂજા પણ નથી કરતા. હું શરૂઆતથી જ કહેતો હતો.'

આ પહેલા શુક્રવારે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે દારૂબંધીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી લોકો દારૂ પીવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ શરાબબંધી થઇ શકશે નહિ. ત્યાર પછીથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ CM રમણ સિંહે કોંગ્રેસ સરકાર પર દારૂબંધીના વાયદાથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ તેને મહિલાઓનું અપમાન પણ ગણાવ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.