બોલવા મજબૂર થયો, મુસ્લિમોના મનની વાત સાંભળે PM મોદી: જામા મસ્જિદના શાહી ઈમામ

જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ નૂહ હિંસા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં નફરતની આંધી ચાલી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુસ્લિમોના મનની વાત સાંભળવાનો આગ્રહ કર્યો. નૂહ હિંસા અને ચાલતી ટ્રેનમાં રેલવે પોલીસ જવાન દ્વારા લોકો હત્યા જેવી હાલની ઘટનાનો સંદર્ભ આપતા બુખારીએ સૂચન આપ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમુદાયના બુદ્ધિજીવીઓ સાથે વાતચીત કરે.

ઐતિહાસિક મસ્જિદમાં પોતાના શુક્રવારના ઉપદેશમાં બુખારીએ દેશની હાલની પરિસ્થિતિના કારણે મને બોલવા માટે મજબૂર થવું પડ્યું છે. દેશમાં સ્થિતિ ચિંતાજનક છે અને નફરતની આંધી દેશમાં શાંતિ માટે ગંભીર જોખમ ઉત્પન્ન કરી રહી છે. બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે પોતાના મનની વાત કહો છો, પરંતુ તમારે મુસ્લિમોના મનની વાત પણ સાંભળવાની જરૂરિયાત છે.

મુસ્લિમો હાલની પરિસ્થિતિઓથી પરેશાન છે અને પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. જામા મસ્જિદના ઈમામે આરોપ લગાવ્યો કે નફરત અને સાંપ્રદાયિક હિંસાને પહોંચીવળવામાં કાયદો નબળો સાબિત થઈ રહ્યો છે. એક ધર્મના લોકોને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. પંચાયતો આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં મુસ્લિમોના બહિષ્કરનું આહ્વાન કરવામાં આવ્યું અને તેમની સાથે વેપાર અને વ્યવહાર સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી.

બુખારીએ આગળ કહ્યું કે, દુનિયામાં 57 ઇસ્લામી દેશ છે જ્યાં ગેર મુસ્લિમ પણ રહે છે, પરંતુ તેમને તેમના જીવન કે આજીવિકા માટે કોઈ પણ જોખમનો સામનો કરવો પડતો નથી. તેમણે એ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંબંધ જોખમમાં છે. ભારતમાં એટલી નફરત કેમ? શું આપણાં પૂર્વજોએ આ જ દિવસ માટે આઝાદી હાંસલ કરી હતી. શું હવે હિન્દુ અને મુસ્લિમ અલગ-અલગ રહેશે? સ્થિતિ નિયંત્રિત કરવાનું સરકારના હાથમાં છે.

બુખારીએ કહ્યું કે, હું વડાપ્રધાન અને ગૃહ મંત્રીને કહેવાય માગું છું કે, ઉદાર બનો અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે વાત કરો. હું દેશના મુસ્લિમો તરફથી તમને કહેવા માગું છું કે, તમે અમારી સાથે વાત કરો, અમે તૈયાર છીએ, બુખારીએ સૂચન આપ્યું કે, કેન્દ્ર હાલની નફરતની આંધીથી દેશને બચાવવા માટે મુસ્લિમ સમુદાયના સભ્યો સાથે બેઠક કરી શકે છે.

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં 31 જુલાઈની સવારે લગભગ 5 વાગ્યે ગોળીબારીની ઘટના થઈ હતી. તેમાં RPF કોન્સ્ટેબલ ચેતન સિંહે પોતાના સીનિયર ASI ટીકારામ મીણા સિવાય ત્રણ મુસાફરોની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. આ મુસાફરોની ઓળખ અબ્દુલ કાદિર, અસગર અબ્બાસ શેખ અને સૈયદ સૈફુલ્લાહના રૂપમાં થઈ. પોલીસે આરોપીને 1 ઑગસ્ટે બોરીવલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીનિયર અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું કે પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. ફાયરિંગ સાથે જોડાયેલા સવાલોના તે ગોળગોળ જવાબ આપે છે અને પોલીસ કસ્ટડીમાં પણ નારા લગાવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.