શ્રીકૃષ્ણ અને હનુમાન દુનિયાના સફળ ડિપ્લોમેટ હતા, એસ. જયશંકરનું નિવેદન વાયરલ

વિદેશ મંત્રી એસ જયશંકર રાજકારણમાં પ્રવેશતા પહેલા સફળ રાજદ્વારી રહ્યા છે. તેમની વિદેશ નીતિને મજબુત માનવામાં આવે છે. એક ઈવેન્ટ દરમિયાન તેમણે દુનિયાના સૌથી મોટા ડિપ્લોમેટનું નામ જાહેર કર્યું છે. વિદેશ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે સાંભળીને લોકો આશ્ચર્યચકિત છે. વિદેશ નીતિ પર તેમણે રામાયણ અને મહાભારતને યાદ કર્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’ના મરાઠી ભાષાંતર ‘ભારત માર્ગ’ના વિમોચન પ્રસંગે પુણે ગયા છે. ત્યાં તેમણે જે કહ્યું એ સાંભળીને બધા ચોંકી ગયા છે. વિદેશ મંત્રીએ લોકોના સવાલોના જવાબ આપતા કઇંક એવું કહ્યું કે એ નિવેદન સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ ગયું છે. તેમણે જે કહ્યું તેના પર એક નવી ચર્ચા છેડાઇ શકે છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, સૌથી મોટા રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટ એક શ્રી કૃષ્ણ અને એક હનુમાન હતા. જો તમે તેને મુત્સદ્દીગીરીના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તેઓ કઇ સ્થિતિમાં હતા?તેમને શું મિશન આપવામાં આવ્યું હતું?અને કેવી રીતે એ મિશનને તેમણે હેન્ડલ કર્યા હતા.

એસ. જયશંકરે કહ્યું કે,  રામભક્ત હનુમાને તો પોતાની ઇન્ટેલિજન્સનો પરિચય આપીને પોતાના ટાર્ગેટથી પણ આગળ વધી ગયા હતા. રાવણની લંકામાં માતા સીતાને મળ્યા અને લંકાને પુરી રીતે સળગાવી નાંખી હતી. તેઓ મલ્ટીપર્પઝ ડિપ્લોમેટ હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, જરા વિચારો, આજની દુનિયા મલ્ટી પોલર એટલે કેબહુધ્રુવીય છે. તે સમયે કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલી રહ્યું હતું? જુદા જુદા રાજ્યો હતા, દરેકને કહેવામાં આવ્યું હતું કે તમે તેમની સાથે છો, તમે મારી સાથે છો. બલરામ જેવા જૂથ વગરના લોકો પણ તે સમયે હાજર હતા. અમે પણ કહીએ છીએ કે ગ્લોબલ દુનિયા છે, આ અવરોધો છે. અર્જુનની મૂંઝવણ શું હતી, તે અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે મારા સંબંધીઓ સામે હું કેવી રીતે લડીશ. ક્યારેક આપણે કહીએ છીએ કે પાકિસ્તાને આ કર્યું, તે કર્યું, ચાલો, અમે વ્યૂહાત્મક ધીરજ બતાવીએ છીએ. શાનદાર ડિપ્લોમસીનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન કૃષ્ણ છે.

વિપક્ષમાં એક એવો વર્ગ છે જે બિનસાંપ્રદાયિક નીતિમાં માને છે. તે ઈચ્છે છે કે બંધારણીય પદ પર બેઠેલા લોકોએ આવા નિવેદનો ન આપવા જોઈએ, જે કોઈ ખાસ ધર્મ સાથે સંબંધિત હોય. હનુમાન અને કૃષ્ણ હિન્દુ દેવતાઓ છે. હવે આ નિવેદન પર વિપક્ષ તરફથી હોબાળો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.