દિલ્હીમાં મફત વીજળી: LGએ કહ્યું કેજરીવાલની મંત્રી જુઠ્ઠી છે, કાર્યવાહી કરાશે

વીજ સબ્સિડીને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ સખત અંદાજ અપનાવ્યો છે. ઉપરાજ્યપાલ વિજય સક્સેનાએ ચિઠ્ઠી લખીને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સરકારના પાવર મંત્રી દ્વારા વીજ સબ્સિડીને લઈને જે પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. જો સરકાર પાસે ઉપરાજ્યપાલ દ્વારા વીજ સબ્સિડી રોકાવાના કોઈ પુરાવા છે તો દેખાડો.

જો એમ એમ થતું નથી અને જો પુરાવા દેખાડવામાં આવતા નથી તો એમ માનવામાં આવશે કે એ માત્ર એક ગંદી રાજનીતિ હેઠળ નિવેદન આપવામાં આવી રહ્યા હતા અને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રી આતિશીએ એવા આરોપ લગાવ્યા હતા કે ઉપરાજ્યપાલે વીજ સબ્સિડી સંબંધિત કેબિનેટના નિર્ણયની ફાઇલ પરત કરી નથી. આતિશીએ એમ પણ કહ્યું હતું કે, તેમને ઉપરાજ્યપાલ તરફથી મળવા માટે અપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવ્યું નથી.

જો કે, ત્યારબાદ ઉપરાજ્યપાલ ઓફિસે કહ્યું કે, આતિશીએ આ ખોટી જાણકારી આપી છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા ઉપરાજ્યપાલ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, વીજ મંત્રીને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉપરાજ્યપાલ વિરુદ્ધ અનાવશ્યક રાજનીતિ અને પાયાવિહોણા આરોપોથી બચે. તેમણે ખોટા નિવેદનોથી લોકો ભરમાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે અને મુખ્યમંત્રીએ દિલ્હીની જનતા જવાબ આપવો જોઈએ કે આ સંબંધમાં નિર્ણય 4 એપ્રિલ સુધી કેમ લંબિત રાખવામાં આવ્યો, જ્યારે સમય સીમા 15 એપ્રિલ હતી?

કાર્યાલયે આગળ કહ્યું કે, ઉપરાજ્યપાલને 11 એપ્રિલના રોજ ફાઇલ કેમ મોકલી હતી? અને 13 એપ્રિલના રોજ ચિઠ્ઠી લખીને ડ્રામા કરવા અને પછી આજે પ્રેસ કોન્ફરન્સની શું જરૂરિયાત હતી? દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપભોક્તાઓને 200 યુનિટ માસિક વપરાસ સાથે મફત વીજળી પ્રદાન કરે છે. દર મહિને 201-400 યુનિટનો વપરાસ કરનારા લોકોને 50 ટકા સબ્સિડી મળે છે, જેની મહત્તમ સીમા 850 રૂપિયા છે. આ અગાઉ દિલ્હીના ઉપરાજ્યપાલનું એક નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો IITની ડિગ્રી લઈને પણ અશિક્ષિત રહી જાય છે. જ્યારે ડિગ્રીઓ માત્ર અભ્યાસના ખર્ચની રસીદ હોય છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે IITનો અભ્યાસ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.