41 વર્ષથી અટકી હતી મકાનની રજિસ્ટ્રી, 250 રૂ.ની રસીદ માટે અધિકારીએ લીધા 25 હજાર

લખનૌના મોતીઝીલ નિવાસી મુસીર હુસૈનને વર્ષ 1982માં એક મકાન અલોટ કરવામાં આવ્યું. તેની ચૂકવણી થઇ ચૂકી હતી. પણ 250 રૂપિયાની રસીદનું વેરિફિકેશન ન થવાના કારણે રજિસ્ટ્રી થઇ રહી નહોતી. રસીદના વેરિફિકેશનના નામ પર લખનૌ ડેવલપમેન્ટ વિભાગના અધિકારી ગિરીશ શર્માએ તેમની પાસેથી 25 હજાર રૂપિયા વસૂલ્યા. તેના 4 વર્ષ પછી પણ કામ થયું નહીં. મુસીર હુસૈને ગુરુવારે આ મુદ્દે ફરિયાદ કરી. આના પર એલડીએ વીસીએ આરોપી અધિકારીને ફટકાર લગાવી. તેમના આદેશ પર લેખા વિભાગે એક કલાકની અંદર મકાનની રસીદનું વેરિફિકેશન કરી લીધું. ત્યાર પછી વીસીએ આરોપી અધિકારી સામે વિભાગીય તપાસ કરવાનો આદેશ આપતા તેને સસ્પેન્ડ કરી દીધો.

સુનાવણી દરમિયાન અરજીકર્તા મુસીર હુસૈન અને આરોપી અધિકારી ગિરીશ શર્માનો આમનો સામનો કરાવવામાં આવ્યો. મુસીર હુસૈને પૈસા આપવાની વાત ફરી કહી. આ દરમિયાન કાર્યવાહીની ચેતવણી મળવા પર અધિકારીએ પણ પૈસા લેવાની વાત સ્વીકારી લીધી. વીસીએ લાંચ રૂપે લીધેલા પૈસા પાછા કરવા માટે અધિકારીને 5 દિવસનો સમય આપ્યો. તેમણે મુસીર હુસૈનને અધિકારી ગિરીશ શર્મા સામે લેખિત ફરિયાદ આપવા કહ્યું જેથી તેમને તરત સસ્પેન્ડ કરી શકાય. પણ મુસીર હુસૈને લેખિત ફરિયાદ આપવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે, કોઇની નોકરી જતી રહેશે તો તેના પરિવારનું શું થશે. એવામાં વીસીએ મૌખિક ફરિયાદના આધારે અધિકારી ગિરીશ મિશ્રાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો.

એલડીએના ગોમતી નગર સ્થિત હેડક્વોર્ટરમાં ગુરુવારે ઓથોરિટી દિવસના રોજ સૌથી વધારે ફરિયાદો પ્લોટ, ફ્લેટ અને મકાનોની રજિસ્ટ્રીથી જોડાયેલ રહી. જાનકીપુરમ નિવાસી લલિત દીક્ષિતે જણાવ્યું કે તેમણે પોતાના પ્લોટની રજિસ્ટ્રી માટે અરજી કરી હતી, પણ પાછલા એક વર્ષથી તેમને ટરકાવવામાં આવી રહ્યા હતા. આ રીતે કાનપુર રોડ યોજના નિવાસી મુકેશ મૌર્યા અને સજ્જાદબાદ નિવાસી સાહિબ આલમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યા હતા. પણ રજિસ્ટ્રીમાં મુશ્કેલી આવી રહી હતી. એલડીએ વીસીએ આ બધી ફરિયાદોને નવીન ભવનમાં લાગેલા રજિસ્ટ્રી કેમ્પમાં મોકલી આપી. જેમાંથી ઘણાંના ઉકેલો સાંજ સુધીમાં આવી ગયા. ગેરકાયદાકીય રીતે કરવામાં આવેલા નિર્માણની પણ ઘણી ફરિયાદો આવી હતી. જેના પર એલડીએ વીસીએ ઝોનલ ઓફિસરોને તપાસ કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. એલડીએ વીસી ડૉ. ઈંદ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું કે, કુલ 54 ફરિયાદો આવી. જેમાંથી 19 મામલાઓનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.