શિંદેને કહેવાયેલું અજીત પવારને નાણા મંત્રાલય આપો નહીં તો CM પદ આપવું પડશેઃ રાઉત

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ હાલમાં જ દાવો કર્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના કેમ્પે અજીત પવારને નાણાં મંત્રાલય મેળવતા રોકવા માટે બધા પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના કેમ્પે પણ દાવો કર્યો કે ભાજપના ઉચ્ચ નેતૃત્વએ શિંદેને સ્પષ્ટ કહ્યું કે, અથવા તો નાણાં મંત્રાલય કે પછી મુખ્યમંત્રી પદ પવારને આપવું જોઈએ. જો કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, સરકારની અંદર બધુ સારું છે અને લોકોએ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવું જોઈએ.

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત અને મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ નેતૃત્વ દ્વારા એકનાથ શિંદેને એક પ્રસ્તાવ આપ્યો હતો કે તમે અજીત પવારને નાણાં મંત્રાલય નથી આપતા તો તેમને મુખ્યમંત્રી પદ સોંપી દો. આ પ્રસ્તાવે શિંદેને પરેશાન કરી દીધા, જે ખાલી હાથે પરત ફરી જાય. શિંદે સેનાએ અજીત પવારને નાણાં મંત્રાલય મળતા રોકવાના બધા પ્રયાસ કર્યા. શિંદે સેનાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી પર દબાવ નાખ્યો અને કહ્યું કે, તેઓ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સમજાવે કે નાણાં મંત્રાલય અજીત પવારને ન આપવામાં આવે.

શિવસેના સાંસદે કહ્યું કે, એ સાચું છે કે અજીત પવારને તેમને ગમતો પોર્ટફોલિયો મળતા રોકવાનો અંતિમ મિનિટ સુધી પ્રયાસ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીને નિષ્ફળ મિશનથી ફરવું પડ્યું. મને લાગે છે કે ભાજપ અને શિંદે સેના સાથે મળવા અગાઉ અજીત પવારે એ શરત રાખી અને એટલે તેઓ સરળતાથી મળી ગયા. સંજય રાઉતે કહ્યું કે, તેમની પાસે પૂરતી જાણકારી છે કે, શિંદેને કે તો પ્રસ્તાવ સ્વીકાર કરવા કે સરકારમાંથી બહાર જવા માટે કહ્યું હતું.

મારા સૂત્ર મજબૂત છે. ભાજપ ઉચ્ચ નેતૃત્વ  તેમની વાત સાંભળવાના મૂડમાં નહોતું. મુખ્યમંત્રીને સ્પષ્ટ કહી દીધું કે અથવા તો સરકારથી બહાર થઈ જાય કે ચૂપચાપ પ્રસ્તાવ સ્વીકારી લે. તેમની પાસે અજીત પવારને નાણાં મંત્રાલય આપવાના પ્રસ્તાવને સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ દરમિયાન શનિવારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, લોકોએ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. સરકારમાં બધુ બરાબર છે અને અમે બધાને સાથે લઈને ચાલીશું. કોઈએ પણ એવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.